
- મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં 21 પ્રશ્ર્નોનો કરાયો હકારાત્મક નિકાલ.
મહીસાગર, જાહેર જનતાના પ્રશ્ર્નોનું સ્થાનિકકક્ષાએ જ નિરાકરણ થઈ શકે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તેઓના મુખ્યમંત્રીકાળ દરમિયાન શરૂ કરાયેલ સ્વાગત કાર્યક્રમને 20 વર્ષ થઈ ગયા છે. આ 20 વર્ષમાં અસંખ્ય લોકોએ સ્વાગત કાર્યક્રમ થકી પોતાની મુશ્કેલીઓનું સ્થાનિક કક્ષાએથી જ નિરાકરણ મેળવ્યું છે.

મહીસાગર જીલ્લાના લુણાવાડા મામલતદાર કચેરી ખાતે કલેકટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને ગ્રામ્ય અને તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં આજરોજ કુલ 21 જેટલી અરજીઓનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું છે. જેમાં તાલુકા સ્વાગતના કુલ 12 પ્રશ્ર્નો અને ગ્રામ સ્વાગતના કુલ 9 પ્રશ્ર્નોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તમામ પ્રશ્ર્નોનું સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
તાલુકા સ્વાગત કાર્યક્રમ હેઠળ વિવિધ વિભાગો માટેની કુલ 21 ફરીયાદો હતી. આ તમામ ફરીયાદોના અરજદારઓને સંબધિત વિભાગના અધિકારીઓની હાજરીમાં જીલ્લા કલેક્ટર દ્વારા સાંભળવામાં આવી હતી અને હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં અરજદારો સહિત તમામ તાલુકા કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.