
- સંકલ્પ પત્ર બનાવતા પહેલા લોકોના અભિપ્રાય મેળવવા માટે ગુજરાત ભાજપાના વિશેષ અભિયાનની મહીસાગર જિલ્લામાં શરૂઆત.
- અભિયાનમા સંકલ્પ પત્રની પેટી,નરેન્દ્ર મોદી એપ, મીસ કોલ નંબર અને ઇમેલ દ્વારા જનતાના સુચનો મેળવવાનું આયોજન.
લુણાવાડા, લોકસભા 2024ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્ર જનતાની અપેક્ષાનું બને તે હેતુ થી જન જન સુધી પહોંચવા તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિકસીત ભારતના સંકલ્પને સાકાર કરવા હેતુ જનતાના સુચનો માટે મહીસાગર જિલ્લામાં પ્રદેશ સહ પ્રવકતા ડો જ્યોતિબેન પંડ્યાએ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયાની ઉપસ્થિતિમાં લુણાવાડા વિશ્રામગૃહ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પ્રદેશ સહપ્રવક્તા ડો જ્યોતિબેન પંડ્યાએ પ્રેસ મીડિયાને જણાવ્યું કે લોકસભા ચૂંટણી હવે ટુંક સમયમાં જાહેર થશે. ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જનતાની અપેક્ષાનું સંકલ્પ પત્ર બને તે માટે તેમના સુચનો અને તેમની જરૂરિયાત જાણવાનો પ્રયાસ કરવામા આવી રહ્યો છે. જે સંકલ્પ પત્રમા સમાવેશ કરી શકાય.રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ 26 ફેબ્રુઆરી 2024ના રોજ દિલ્લીથી આ અભિયાનની શરૂઆત કરાવી છે. આ અભિયાન અંતર્ગત ગુજરાત માંથી આશરે 15 લાખથી વધુના લોકોની આશા,અપેક્ષા ભેગી કરવા પ્રદેશ કક્ષાએથી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શનમાં અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. અભિયાનમા મુખ્ય ચાર સ્વરૂપે લોકો પાસેથી સુચનો એકત્રીત કરવામાં આવશે. સંકલ્પ પત્રની પેટી, નરેન્દ્ર મોદી એપ, મીસ કોલ નંબર અને ઇમેલ દ્વારા સુચનો મેળવાશે. જનતાના સુચનો માટે લોન્ચ કરેલ મોબાઇલ નંબર 9090902024 પર મિસ કોલ કરી 30 સેક્ધડમાં મેસેજ આવે તેમાં પોતાના સુચનો પણ નોંધાવી શકે છે, તેમજ ઇમેલ એડ્રેસ sankalppatra2024bjpgujarat.org પર સુચનો પણ મોકલી શકાશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, લોકોની અપેક્ષાનું સંકલ્પ પત્ર બને તે માટે સુચન પેટી જીલ્લા મહાનગરના મુખ્ય સ્થાનો, કોલેજો સહિત સ્થળોએ પેટી મુકાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પ વિકસીત ભારત મોદીની ગેરેંટી વિડિયો વાન દરેક લોકસભામાં બે વાન મોકલવામાં આવશે. આ અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓ દ્વારા બુથ સ્તરે જન સંપર્ક કરી જનતાના સુચનો મેળવામા આવશે. વિવિધ સેલના માધ્યમથી જીલ્લા સ્તરે બેઠકો થકી પણ સુચનો મેળવવામા આવશે. વર્ષ 2014 અને 2019ના સંકલ્પ પત્રમા આપેલા વચનો માથી 95 ટકાથી વધુના કામો પુર્ણ કર્યા છે. ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે. જે સંકલ્પ પત્રને ગંભીરતાથી લે છે. સંકલ્પ પત્ર એટલે લોકોને આપેલા વચનોને પુર્ણ કરવા માટેનો સંકલ્પ ભાજપાએ આપેલા વચનો પુર્ણ કર્યા છે, એટલે જ આજે દેશની જનતાને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પર વિશ્વાસ છે. તેમણે મહીસાગર જિલ્લાની જાહેર જનતાને વિનતીં કરી છે કે વધુમાં વધુ લોકો તેમના સુચનો મોકલે અમે શક્ય તમામ સુચનો સંકલ્પ પત્રમા સમાવેશ કરવાનો પ્રયાસ કરીશું. લુણાવાડા બસસ્ટેન્ડ ખાતે પ્રદેશ સહ પ્રવકતા ડો જ્યોતિબેન પંડ્યા, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયા, જિલ્લા મહામંત્રી રાવજીભાઈ પટેલ, પ્રદીપસિંહ રાઠોડ સહીત અગ્રણી હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સંકલ્પપત્ર માટે સૂચનો મેળવવાની શરૂઆત કરવામાં આવી હતી.