લોક્સભા ચૂંટણી પહેલા ગુજરાત પોલીસમાં મોટાપાયે બદલીઓનો આદેશ છૂટ્યો

ગાંધીનગર : લોક્સભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે, ત્યારે તે પહેલા ગુજરાત પોલીસમાં મોટાપાયે બદલી કરવામાં આવી છે. લોક્સભાની ચૂંટણી પહેલા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત રાજ્યમાં ૪૩ હથિયારધારી, ૫૫૧ બિન હથિયારધારી પીએસઆઇની એક્સાથે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત ૨૩૨ પીઆઈની બદલીના આદેશો થયા છે. પોલીસ અધિકારીઓને એક શહેરખી બીજા શહેર મોકલાયા છે.

હજુ ૩૦ જાન્યુઆરીએ ૫૦ આઇએએસની બદલી કરવામાં આવી હતી. ત્યારે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા લોક્સભાની ચૂંટણી પહેલા ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. ત્યારે ગુજરાત પોલીસ બેડામાં બદલીઓનો દોર યથાવત છે. રાજ્યના હથિયારી અને બિન હથિયારી પીએસઆઇની મોટા પાયે બદલી કરાઈ છે. ૫૫૧ બિન હથિયારી પીએસઆઇની એક સાથે બદલી કરાઈ છે. ૪૩ જેટલા હથિયારી પીએસઆઇની પણ બદલી કરાી છે.

ગૃહ વિભાગે આ બદલીઓના આદેશ કર્યા છે. જેમાં ૨૩૨ પીઆઈની બદલીના પણ આદેશ થયા છે. પીએસઆઇ બાદ પીઆઇની પણ મોટાપાયે બદલી કરાઈ છે. આમ, રાજ્યમાં પોલીસ તંત્રમાં ધરખમ ફેરફારો આવનારા દિવસોમાં દેખાય તો નવાઈ નહિ.

લોક્સભા ૨૦૨૪ ચુંટણી પૂર્વે રાજ્યમાં સનદી અને પોલીસ વિભાગમાં બદલીઓનો દોર ચાલી રહ્યો છે. બદલીના ગંજીપામાં નવસારી જિલ્લાના ૩ પોલીસ ઇન્સ્પેક્ટરની પણ બદલી કરાઈ.પીઆઇ પી. જી. ચૌધરીની વલસાડ જિલ્લામાં,પીઆઇ કે. એલ. પટણીની ઇન્ટેલિજન્સમાં તેમજ પીઆઇ પી. આર. કરેણની સી. આઈ. ડી. ક્રાઈમમાં બદલી કરાઈ. જ્યારે અમદાવાદ સીટીના પીઆઇ એ. જે. ચૌહાણ,પીઆઇ વી. જે. જાડેજા અને પીટીસી જૂનાગઢના પીઆઇ ડી. જે. કુબાવતની નવસારી જિલ્લામાં નિયુક્તિ કરાઈ.