લો બોલો : બાલાસિનોર તાલુકાના લીમડી ગામે માત્ર 5 મહિનામાં લાખો રૂપિયાના ખર્ચે બનેલું ગરનાળું તૂટ્યું

બાલાસિનોર,
બાલાસિનોર તાલુકાના લીમડી ખાતે પૂર્વ સાસંદ રતનસિંહ રાઠોડની ગ્રાન્ટમાં ફાળવેલ ગ્રાન્ટમાં ગરનાળાનું કામ પાંચ માંહેના પહેલા લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યા હતું. જ્યારે આ કામ તદ્દન હલકી ગુણવત્તાવાળું બનાવવામાં આવતા હાલ પાંચ મહિનામાં આ ગરનાળું તૂટી જતા ભષ્ટચારનો પર્દાફાશ થયો છે. ત્યારે સરકારના પૈસામાં ભષ્ટાચાર આચરતા ઈસમો સામે ફોજદારી ગુન્હો દાખલ કરવામાં આવે તેવી ગ્રામજનોની માગણી છે.

  • ભષ્ટાચાર આચરી હલકી ગુણવત્તાથી બનાવવામાં આવેલું ગરનાળું તૂટતાં પોલ ખુલી : ગ્રામજનોમાં આક્રોશ.
  • સાસંદ રતનસિંહ રાઠોડની ગ્રાન્ટમાં બનાવેલા કામોમાં ભષ્ટચાર .

મળતી વિગતો અનુસાર બાલાસિનોર તાલુકાના લીમડી ખાતે પૂર્વ સાસંદ રતનસિંહ રાઠોડની 2022-23 ગ્રાન્ટ માંથી લીમડી બેનવાળા ફળિયા તરફથી જતા રસ્તા પર ગરનાળાનું કામ 13 માર્ચ 2024ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. આ કામ 20 માર્ચ 2024ના રોજ પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ ગરનાળાની અંદાજીત રકમ 3 લાખની આસપાસ હતી. જયારે આ ગરનાળું ભષ્ટાચાર કરી બનાવવામાં આવતા હાલ તૂટી ગયું છે. ત્યારે આ ગામના મનોજભાઈએ જણાવ્યું હતું કે આ ગરનાળા બનાવેલ ગ્રાન્ટની તકતી ખોટી લગાવેલ છે, તેમજ આ ગરનાળું 15 જુલાઈ 24 નારોજ ગરનાળાનું કામ સંપૂર્ણ થયું છે આ ગરનાળામાં કોઈ સ્ટીલના વાપરવામાં આવ્યું નથી. તેમજ સિમેન્ટ અને અન્ય સામગ્રી ખુબ હાલાકી ગુણવત્તાની વાપરવામાં આવી છે આ કામને પૂર્ણ માત્ર બે મહિનામાં તૂટી ગયું છે. આ ગરનાળું નવું ના બનાવવામાં આવે તો અમે કાયેદસર કાર્યવાહી કરવામાં આવશે, તેવી ચીમકી ઉચ્ચારી હતી. જયારે આ ગરમાંના સરપંચ ભલસિંહે જણાવ્યું હતું કે આ કામ પૂર્વ સાસંદ રતનસિંહના માણસો દ્વારા કરવામાં આવ્યું છે. આ બાબતે મને કોઈ જાણકારી નથી મેં પણ આ ગરનાળા બાબતે અરજી કરેલ છે. ત્યારે સમગ્ર ભષ્ટાચાર યુક્ત ગરનાળા બાબતે તલાટી સૂર્યાબેન માછીએ જણાવ્યું હતું કે આ ગરનાળું કોણે બનાવ્યું મને ખબર નથી. સોમવારે જઈને તાપસ કરૂ તેમ કહી છટકબારી શોધી હતી. જયારે આ ગરનાળા બાબતે ઉચ્ચ કક્ષાએથી તાપસ કરવામાં આવે તો તાલુકામાં લાખો રૂપિયાનો ભષ્ટચારની પોલ બહાર આવી હતી.

Don`t copy text!