લીકર પોલિસી કૌભાંડ મામલે ઈડીના ૬ ઠેકાણે દરોડા, આપ સાંસદ સંજય સિંહે કહ્યું – આ દાદાગીરી કહેવાય

નવીદિલ્હી, આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે દાવો કર્યો છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમો તેમનાસહયોગીઓના ઘર પર દરોડા પાડી રહી છે. સાંસદ સંજય સિંહ હાલમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે અન્ય પક્ષોના નેતાઓને મળવા માટે દિલ્હીની બહાર ગયા છે. AAP ના સાંસદે ED ની આ કાર્યવાહીને ધર્માંધતા ગણાવી છે. આ અંગે સંજય સિંહે ટ્વીટર પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે. આજે દિલ્હીમાં લિકર પોલિસી કૌભાંડ મામલે ઈડીએ ૬ સ્થળો પર દરોડા પાડ્યા છે.

આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે ટ્વીટ કરીને લખ્યું હતું કે મોદીની દાદાગીરી ચરમસીમાએ છે. હું મોદીની તાનાશાહી સામે લડી રહ્યો છું. સંજય સિંહે વધુમાં કહ્યું કે જ્યારે તેમને મારી વિરુદ્ધ કંઈ ન મળ્યું ત્યારે તેઓએ મારી ભૂલ સ્વીકારી લીધી, તેથી હવે તેઓ મારા સાથીદારોના ઘરે દરોડા પાડી રહ્યા છે. આજે સવારે મને ખબર પડી કે મારા સાથીદારોના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે. હું ED ને કહેવા માંગુ છું કે કોઈપણ પ્રકારનું હથિયાર અપનાવો, હું તમારી સામે ઝૂકીશ નહીં. ઈડીનો કેવી રીતે દુરુપયોગ થઈ રહ્યો છે તે અમે આખા દેશની સામે ઉજાગર કરવાનું ચાલુ રાખીશું. ભલે આપણે આ માટે સુપ્રીમ કોર્ટમાં કેમ ન જવું પડે. પરંતુ અમે આ સરમુખત્યારશાહી અને ગુંડાગીરીનો પર્દાફાશ કરવાનું ચાલુ રાખીશું.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આપના રાજ્યસભા સાંસદના આ ટ્વિટને રિટ્વીટ કર્યું છે. આપ નેતાના ટ્વીટને લઈને રાજકીય ચર્ચાએ જોર પક્ડ્યું છે. જો કે સંજય સિંહના સહયોગી અજીત ત્યાગી અને સર્વેશ મિશ્રાના ઘરે જે સંદર્ભે દરોડો પાડવામાં આવ્યો હતો તે અંગે હજું સુધી કોઈ માહિતી સામે આવી નથી. આમ આદમી પાર્ટીના ઘણા મોટા નેતાઓ પર શરાબ કૌંભાડ અને મની લોન્ડરિંગ જેવા ઘણા ગંભીર આરોપો લાગ્યા છે. દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ અને આપ નેતા મનીષ સિસોદિયા કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડમાં તિહાર જેલમાં બંધ છે. આ ઉપરાંત કેજરીવાલ સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન પણ મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં જેલમાં બંધ છે. જો કે આમ આદમી પાર્ટી આ તમામ કૌભાંડો અને આરોપોને નકારી રહી છે.