લીમખેડાના પીપળાપાણીની પરણિતાને પતિ અને સાસરીયાએ ત્રાસ આપતાં ફરિયાદ

દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના પીપળાપાણી ગામે એક પરણિતાને તેના પતિ તથા સાસરીયાઓ દ્વારા શારિરીક તેમજ માનસીક ત્રાસ આપી મારઝુડ કરતાં આવા અમાનુષી ત્રાસથી વાજ આવેલ પરણિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાંવી હોવાનું જાણવા મળે છે.

લીમખેડાના પીપળાપાણી ગામે નિશાળ ફળિયામાં રહેતાં 29 વર્ષિય રેખાબેન વીજયસિંહ નિનામાના લગ્ન વીજયસિંહ સરતનભાઈ નિનામા સાથે થયાં હતાં. લગ્નના થોડા સમય સુધી પરણિતા રેખાબેનને સારૂ રાખ્યાં બાદ પતિ તથા સાસરી પક્ષનું પોત પ્રકાશ્યું હતું અને પતિ વીજયસિંહ તેમજ વીજયસિંહની બીજી પત્નિ અંદ્રીકાબેન વીજયસિંહ નિનામા, સાસરીપક્ષના સરતનભાઈ શક્કરીયાભાઈ નિનામા, ઈન્દુબેન સરતનભાઈ નિનામાનાઓએ પરણિતાને રેખાબેનને બેફામ ગાળો બોલી, શારિરીકલ તેમજ માનસીક ત્રાસ આપી પરણિતા રેખાબેન સાથે મારઝડુ કરતાં આ સંબંધે પરણિતા રેખાબેન વીજયસિંહ નિનામાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.