
નવીદિલ્હી,
લાલુ યાદવની આજે કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ રહી છે. તેમનું કિડની ટ્રાન્સપ્લાન્ટ સિંગાપોરમાં થઈ રહ્યું છે. તેમની બીજી પુત્રી રોહિણી આચાર્ય લાલુ યાદવને કિડની દાન કરી રહી છે. આ માટે તેનું ઓપરેશન કરવામાં આવ્યું છે. આરજેડી ચીફની મોટી દીકરી મીસા ભારતીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. મીસાએ ટ્વીટ કર્યું- નાની બહેન રોહિણીનું ડોનર ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે.
લાલુ યાદવના ઓપરેશન પહેલા લાલુ પરિવાલના મોટાભાગના સભ્યો સિંગાપુરમાં છે. લાલુ યાદવ સાથે તેમની પત્ની રાબડી દેવી, મોટી દીકરી મીસા ભારતી સિંગાપોર ગયા છે. જ્યારે ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ શનિવારે લાલુ યાદવના ખાસ ગણાતા ભોલા યાદવ સાથે સિંગાપુર ગયા હતા.
ઓપરેશન પહેલા રોહિણીએ એક પછી એક અનેક ટ્વિટ કર્યા. પિતા લાલુ યાદવ સાથે ફોટો શેર કરતી વખતે, રોહિણીએ લખ્યું ‘રૉક એન્ડ રોલ માટે તૈયાર’, સાથે એ રોહિણીએ ટ્વિટ કર્યું મારા માટે પૂરતું છે. તમારું સુખ એ જ મારું જીવન છે. રોહિણીએ બીજું ટ્વિટ કર્યું અમે ભગવાનને જોયા નથી, પરંતુ અમારા પિતાને ભગવાનના રૂપમાં જોયા છે.
પટનાના દાનાપુરમાં મૈનપુરા કાલી મંદિરમાં લાલુ યાદવના સારા આરોગ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી. સાથે સાથે અભિષેક કરવામાં આવ્યો હતો. સોમવારે હાથ ધરાનાર કિડની ટ્રાન્સપ્લાન્ટ પહેલા બિહાર સરકારના પ્રધાન આલોક મહેતા, ધારાસભ્ય રિતલાલ યાદવ, આરજેડીના વરિષ્ઠ નેતા રામપન્ની સિંહ, આરજેડીના વડા શિવ કુમાર યાદવ અને અન્ય કાર્યકરોએ ઓપરેશનને સફળ બનાવવા મંદિરમાં પૂજા અને રુદ્રાભિષેક કર્યો હતો.
લાલુપ્રસાદની સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે આરજેડી કાર્યર્ક્તાઓ સોમવારે પટનામાં હવન-પૂજન કરશે. લાલુ પ્રસાદ યાદવના આરોગ્યને લઈને તેમના સમર્થકો મોટી સંખ્યામાં ચિંતિત છે. સોમવારે તેમના ઓપરેશનના દિવસે સવારથી જ બિહાર રાજ્યના વિવિધ મંદિરોમાં હોમ હવન અને પૂજાની તૈયારીઓ કરવામાં આવી છે. કિડની ટ્રાન્સપ્લાન્ટનુ ઓપરેશન સફળ રહે તે માટે પંચશિવ મંદિરમાં પ્રાર્થના કરવામાં આવશે. જેમાં ઉદ્યોગ મંત્રી ઉપસ્થિત રહેશે, આગમકુઆં સ્થિત શીતળા માતા મંદિરના પરિસરમાં, આરજેડી નેતા ઉમેશ યાદવ અને તેમના સમર્થકો હવન-પૂજા કરીને લાલુ પ્રસાદના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરશે.