લગભગ ૨.૫ કરોડ રૂપિયાના હીરા લઇને ભાગી ગયેલા બે નોકરોની બિહારમાંથી ધરપકડ

મુંબઈ, મુંબઈમાં તેમના માલિકના ઘરેથી લગભગ ૨.૫ કરોડ રૂપિયાના ઘરેણાં લઈને ભાગી ગયેલા બે નોકરોની બિહારમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ બંનેએ માલિક અને તેના પરિવારને નશો આપીને ચોરીને અંજામ આપ્યો હતો. લગભગ એક સપ્તાહ બાદ હવે પોલીસે આરોપીને ઝડપી લીધો છે. મુંબઈ અને બિહાર પોલીસને આધાર કાર્ડ દ્વારા નોકરોની ઓળખ કરવામાં મદદ મળી.

પોલીસે ઝડપાયેલા યુવક પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે. તેમની ઓળખ નીરજ ઉર્ફે રાજા યાદવ અને રાજુ ઉર્ફે શત્રુધ્ન કુમાર (૧૯) તરીકે થઈ છે. આ બંનેએ ૧૦ ફેબ્રુઆરીના રોજ તેમના બોસ અને તેમના પરિવારના સભ્યો, ઉપનગરીય ખારના રહેવાસીઓના ભોજનમાં કથિત રીતે નશીલા પદાર્થ ભેળવ્યો હતો અને કિંમતી સામાન લઈને ભાગી ગયા હતા.પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના ૧૧ ફેબ્રુઆરીએ પ્રકાશમાં આવી જયારે ૫૫ વર્ષીય ફરિયાદી માલિકને ખબર પડી કે તેમના ફલેટમાંથી હીરાના દાગીના ગાયબ છે. માલિકે કહ્યું- મારા પરિવારના સભ્યોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા કારણ કે તેઓ બધા ઊંઘમાંથી જાગી ગયા પછી ઉલ્ટી કરવા લાગ્યા હતા. બાદમાં નોકર સામે ચોરી સહિત અન્ય કલમો હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.

ગયા સોમવારે, પોલીસે રાજા યાદવ અને શત્રુધ્ન કુમારને તેમના આધાર કાર્ડની વિગતો અને તકનીકી મદદ સાથે પકડયા. તેની બિહારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. બંનેને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૨૮ , ૩૮૧ (નોકર દ્વારા ચોરી) અને ૩૪ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.નોંધનીય છે કે શત્રુધ્ન કુમાર ૫૦ લાખની ચોરીના કેસમાં પોલીસ દ્વારા અગાઉ પણ ધરપકડ કરવામાં આવી ચુકી છે. હાલમાં રાજા યાદવની કુંડળીની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. પોલીસ બંને આરોપીઓની પૂછપરછ કરી રહી છે. તપાસ ચાલુ છે.તેણે તેના મુંબઈ સ્થિત બોસના પરિવારના સભ્યોને ડ્રગ્સ આપીને રૂ. ૨.૪૬ કરોડના હીરાના દાગીનાની ચોરી કરી હતી. ફરાર થયાના થોડા દિવસો બાદ ઘરેલુ નોકર તરીકે કામ કરતા બંને આરોપીઓ બિહારમાંથી ઝડપાઈ ગયા હતા. એક પોલીસ અધિકારીએ સોમવારે આ જાણકારી આપી.