ખેતીવાડી અને આત્મા પ્રોજેકટ,પંચમહાલના સંયુક્ત ઉપક્રમે ગોધરા,કાલોલ અને હાલોલ તાલુકા ખાતે પ્રાકૃતિક કૃષિ શિબિર યોજાઈ

ગોધરા,આંતરરાષ્ટ્રીય મીલેટ વર્ષ-2023 અને આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ખેતીવાડી અને આત્મા પ્રોજેકટ,પંચમહાલનાં સંયુક્ત ઉપક્રમે પંચમહાલ જીલ્લાના અલગ અલગ તાલુકા ખાતે પ્રાકૃતિક કૃષિ શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગતરોજ ગોધરા તાલુકાના ગઢ-ચુંદડી ખાતે, કાલોલ તાલુકાના વેજલપુર અને ઉતરેડીયા ખાતે તથા હાલોલ તાલુકાના બળીયાદેવ ગામ ખાતે પ્રાકૃતિક કૃષિ શિબિરનું આયોજન કરાયું હતું.

આ તાલીમમાં ખેતીવાડી અને બાગાયત વિભાગના અધિકારી અને કર્મચારીઓ દ્વારા ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનું મહત્વ, મિલેટ પાકો, ખેડૂત ખાતેદાર અકસ્માતવીમા યોજના, સરકારની ચાલતી વિવિધ યોજનાઓ, પર્યાવરણની સુરક્ષા, જમીનની ફળદ્રુપતા તથા પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો જીવામૃત, બીજામૃત, વાફ્સા, આચ્છાદન (મલ્ચીંગ) અને મિશ્રપાક પધ્ધતિ જેવા વિવિધ વિષયો આવરી લઇ તબક્કાવાર માહિતી તાલીમમાં આપવામાં આવી હતી. તાલીમની સાથે જીવામૃત અને બીજામૃત બનાવવા અને તેનો ઉપયોગ કરવાની રીત અંગે પ્રેકટીકલ પણ કરાયું હતું.

આતકે આત્મા પ્રોજેકટ ડાયરેક્ટર પી.એસ.પટેલ, વિવિધ સબંધીત અધિકારીઓ, કર્મચારીઓ, માસ્ટર ટ્રેનર સહિત ગામના સરપંચઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.