ખેડા જિલ્લાના પ્રકૃતિ સંરક્ષક તરીકે વાલ્લા શાળાના પર્યાવરણ મિત્ર હિતેશકુમાર હરિપ્રસાદ બ્રહ્મભટ્ટ ખાસ રાજ્યકક્ષાએ સન્માનિત કરાયા છે. આ પ્રેરક કાર્યક્રમ રાજ્યની ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા મહેસાણા જિલ્લાના વિસનગરના તિરૂપતિ રૂષિવન ખાતે યોજાયો હતો.જેમા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી મહામહિમ આનંદીબેન પટેલના હસ્તે રાજ્યના 33 વ્યક્તિઓને પ્રાકૃતિક સંરક્ષક એવોર્ડ અર્પણ કરાયા હતા.આ વિશિષ્ટ સન્માનમાં આકર્ષક સ્મૃતિ ભેટ, સન્માનપત્ર અને રૂપિયા 11,111 /-ની ધન રાશિ સામેલ.
આ પ્રસંગે દંતાલી આશ્રમના સ્વામી સચ્ચિદાનંદ, સુરતના લાલજીભાઈ બાદશાહ, ગ્રીન ગ્લોબલ બ્રિગેડ સંસ્થાના પ્રમુખ નિલેશભાઈ રાજગોર અને સર્વ સભ્યો, જીતુભાઈ તિરૂપતિ તથા રાજ્યના પર્યાવરણ પ્રેમીઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા. આ વિશિષ્ટ સન્માનમાં આકર્ષક સ્મૃતિ ભેટ, સન્માનપત્ર અને રૂપિયા 11,111 /-ની ધન રાશિ સામેલ છે. શાળાના પર્યાવરણ મિત્ર એવા હિતેશકુમાર બ્રહ્મભટ્ટની પ્રકૃતિ જતન-સંવર્ધનની 30 વર્ષની સમાજ ઉપયોગી વિવિધ પ્રવૃતિઓનુ નિષ્પક્ષ અને તટસ્થ મૂલ્યાંકન કરીને ખેડાના પ્રકૃતિ રૂષિ તરીકે સન્માનિત થયા છે.વિવિધ જગ્યાએ 151 પીપળાના છોડ રોપણનો પ્રયોગ શાળા પર્યાવરણના અનેકવિધ નવતર પ્રયોગો માટે રાજ્યભરમાં જાણીતી છે . હિતેશકુમાર બ્રહ્મભટ્ટે હાલ સુધીમાં અસંખ્ય છોડ રોપણ કરી- કરાવી તેને ઉછેર્યા છે. તેમનો પર્યાવરણ જાગૃતિનો વૃક્ષ વિધાતા જીવનદાતા નામનો પૂતળીખેલ રાજ્યભરમાં હરિયાળા વિચાર ફેલાવી રહ્યો છે .7575 બીજ બોલ નો સફળ પ્રયોગ, વિવિધ જગ્યાએ 151 પીપળાના છોડ રોપણનો પ્રયોગ, 175 ચોરસ ફૂટનું પર્યાવરણ જાગૃતિનુ વોલ પેઇન્ટિંગ, પર્યાવરણ જાગૃતિનું 3ઉ પેઇન્ટિંગ,ઇકો ફ્રેન્ડલી શ્રી ગણેશ વર્કશોપ, હર્બલ કલર વર્કશોપ, 2500 પતંગો ઉપર પર્યાવરણ જાગૃતિનો સંદેશ લખી વિદ્યાર્થીઓને અર્પણ, આઝાદીના અમૃત મહોત્સવ ઉપક્રમે ગુણકારી તુલસીના 75 ઔષધ ઉપચાર લખી તેની પુસ્તિકા તૈયાર કરી 1500 પરિવારમાં અર્પણ કરાયા છે.તાલુકા, જિલ્લા અને રાજ્યની પર્યાવરણ તથા ઇકો ક્લબની તાલીમમાં તજજ્ઞ તરીકે સફળ કામગીરી કરેલ છે.
એટલા જ 1500 તુલસી છોડ અર્પણ, શાળાનો ઔષધ બાગ અને તુલસી વન, વિદ્યાર્થીઓને શિયાળાની ઋતુમાં જીવનામૃત, પંચામૃત રસ, બ્રાહ્મી રસ, સરગવા રસ, તુલસી રસ છેલ્લા દસ વર્ષથી વિદ્યાર્થીઓને પીવડાવી રહ્યા છે. તેમના દીકરાનાં લગ્નમા પણ પ્રકૃતિ જતનનો પ્રેરક સંદેશ આપ્યો તો સાથે મહેમાનોને તુલસી છોડ અને પુસ્તિકા પણ ભેટ આપી હતી. તેમના પર્યાવરણ સંબંધિત અનેક નવતર પ્રયોગો રાજ્યકક્ષાએ પસંદગી પામ્યા છે. તાલુકા, જિલ્લા અને રાજ્યની પર્યાવરણ તથા ઇકો ક્લબની તાલીમમાં તજજ્ઞ તરીકે સફળ કામગીરી કરેલ છે. આ એવોર્ડની ધનરાશિ રૂ.11,111/- બાળવિકાસ અર્થે વાલ્લા શાળાને અર્પણ કરી.