ખાનપુર તાલુકાના ગામમાં વિધવાને ધરમાં બંધક બનાવી બળાત્કાર ગુજારતા નરાધમને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યો

બાકોર,મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના એક ગામમાં ચાર સંતાનોની માતા એવી વિધવા મહિલાના ધરમાં ધુસી જઈ નરાધરે બળાત્કાર ગુજાર્યો હોવાની ધટના બનવા પામી છે. પોલીસે ફરાર થઈ ગયેલા નરાધમને ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો હતો.

ખાનપુર તાલુકાના એક ગામમાં રહેતી મહિલાના પતિનુ થોડા સમય પહેલા અવસાન થયુ હતુ. ત્યારબાદ તે તેના ચાર સંતાનો સાથે એકલવાયુ જીવન જીવે છે. મહિલા ધરમાં એકલી હતી ત્યારે ગામમાં રહેતો જયંતિ બામણીયા નામનો શખ્સ ધરમાં ધસી આવ્યો હતો તેમજ મહિલાને બંધક બનાવી દઈ બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ તે મહિલાને જાનથી મારી નાંખવાની ધમકી આપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે મહિલાએ નજીકના પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ જયંતિ બામણીયાને ઝડપી પાડી તેની સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનિય છે કે,નરાધમ જયંતિ બામણીયા સામે અગાઉ પણ દુષ્કર્મના ગુના નોંધાયેલા છે. તેમજ હાલ તે પાસામાં ધરપકડ બાદ છુટીને પરત આવ્યો છે. ત્યારે આવા ગુનાખોરીવૃત્તિ ધરાવતા શખ્સ સામે કડક પગલા લેવાની માંગ ઉચ્ચારાઈ છે.