કેસીઆરની પુત્રી કવિતાની વચગાળાની જામીન અરજી પર નિર્ણય અનામત

નવીદિલ્હી, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં બીઆરએસ નેતા કવિતાની વચગાળાની જામીન અરજી પરનો ચુકાદો સોમવાર સુધી અનામત રાખ્યો છે. તેણે પુત્રની પરીક્ષા અંગે જામીન માંગ્યા છે. હાલમાં તે ન્યાયિક કસ્ટડીમાં છે. તેમની નિયમિત જામીન અરજી ૨૦ એપ્રિલ માટે સૂચિબદ્ધ કરવામાં આવી છે.

દિલ્હી કોર્ટે દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલ ભારત રાષ્ટ્રીય સમિતિના નેતા કવિતા દ્વારા દાખલ કરવામાં આવેલી વચગાળાની જામીન અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. કવિતા અને ઈડી વતી સ્ટેન્ડ રજૂ કર્યા પછી, રાઉઝ એવન્યુ કોર્ટના વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાએ નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.

દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસ । રાઉઝ એવન્યુ કોર્ટે બીઆરએસ નેતા કે કવિતાના વચગાળાના જામીન પરનો આદેશ સોમવાર માટે અનામત રાખ્યો છે. તેણીએ તેના પુત્રની પરીક્ષા હોવાના આધાર પર વચગાળાના જામીન માંગ્યા છે. તે ન્યાયિક કસ્ટડીમાં છે. તેણીની નિયમિત જામીન અરજી ૨૦ એપ્રિલે સુનાવણી માટે સૂચિબદ્ધ છે.

કે કવિતા વતી કોર્ટમાં હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે કે કવિતાને પણ પીએમએલએની કલમ ૪૫ની જોગવાઈઓ હેઠળ જામીન મળવી જોઈએ. જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કવિતાના જામીનનો વિરોધ કર્યો હતો.

કવિતાને ૧૫ માર્ચ, ૨૦૨૪ ના રોજ સાંજે હૈદરાબાદ સ્થિત તેના ઘરેથી ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ઘણા કલાકોની પૂછપરછ અને દરોડા પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. કે કવિતા દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં ઈડ્ઢ દ્વારા ધરપકડ કરાયેલા હાઇ પ્રોફાઇલ નેતાઓમાંના એક છે. આ સિવાય અન્ય નેતાઓ પણ જેલમાં છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ દારૂ કૌભાંડ કેસમાં જેલમાં છે. બીજી તરફ આપના રાજ્યસભા સાંસદ સંજય સિંહને સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા છે. જે બાદ તેને ગત બુધવારે રાત્રે તિહાર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. કે કવિતા ૯ એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં રહેશે.