કર્ણાટક ચુંટણીમાં બજરંગ દળ પર પ્રતિબંધ મુકવાને લઈ હનુમાન ચાલીસા કરી દાહોદમાં વિરોધ કરાયો

દાહોદ,વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કર્ણાટકમાં કોંગ્રેસના ચુંટણી ઢંઢેરામાં બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાને લઈ દાહોદ જીલ્લામાં હનુમાન ચાલીસા કરી વિરોધ નોંધાવ્યો.

તારીખ.09-05-2023ના રોજ વિવિધ મંદિરોમાં રાત્રીના સમય દરમ્યાન વિશ્ર્વ હિન્દુ પરિષદ, બજરંગદળ દાહોદ જીલ્લાના દરેક પ્રખંડમા હનુમાન ચાલીસા પાઠ કરવામાં આવ્યા કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા કોંગ્રેસના ચૂંટણી ઘોષણા પત્રમાં બજરંગદળ ને આતંકવાદી સાથે સરખામણી કરવામાં આવી અને બજરંગદળ પર પ્રતિબંધ કરવાની વાતો કરી હતી તેના વિરોધમાં આજે કુમતિ નિવાર સુમતિ કે સંગી. આજે સમગ્ર ભારતમાં વિશ્ર્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો. જેના ભાગરૂપે દાહોદ જીલ્લાના સુખસર ફતેપુરા ઝાલોદ, લીમડી, સંજેલી સિંગવડ, દાહોદ, ગરબાડા ભાતીવડા, ગાંગરડી એમ દરેક તાલુકા અને ગ્રામ્યમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો હતો અને દેશ કી રક્ષા કોન કરેગા બજરંગદળ બજરંગદળના નારા લગાવવામાં આવ્યા હતા.

Don`t copy text!