કપિલ શર્માને ’હાર્ટ એટેક પરાઠા’ ખવડાવવું પડ્યું મોંઘું, દુકાન માલિક સામે એફઆઇઆર નોંધાઈ

મુંબઇ, કોમેડિયન કપિલ શર્માને ’હાર્ટ એટેક પરાંથા’ પીરસવી દુકાનદાર વીર દવિંદર માટે મોંઘી સાબિત થઈ છે અને હવે તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. કપિલ શર્મા તાજેતરમાં વાયરલ વીડિયો જોયા બાદ ’હાર્ટ એટેક’ પરાઠા ખાવા જલંધર પહોંચ્યો હતો. પરાઠા ખાધા બાદ કપિલ શર્માએ તેના ખૂબ વખાણ કર્યા હતા. પરંતુ હવે પરાઠા બનાવનાર વીર દવિંદર વિરુદ્ધ જાલંધર પોલીસ સ્ટેશન ૬માં કેસ નોંધવામાં આવ્યો છે. આવો તમને જણાવીએ કે શું છે સમગ્ર મામલો.

આ મુજબ વીર દવિન્દરે કપિલ શર્મા અને તેની પત્ની ગિન્ની ચતરથને પરાઠા ખવડાવવા માટે મોડી રાત્રે તેની દુકાન ખુલ્લી રાખી હતી. આ સંબંધમાં વીર દવિંદર વિરુદ્ધ કલમ ૧૮૮ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.વાઇરલ વીડિયો જોયા બાદ કપિલ શર્મા ’હાર્ટ એટેક પરાઠા’ ખાવા જલંધર પહોંચ્યો હતો, તેની સાથે પત્ની ગિન્ની ચતરથ પણ જોવા મળી હતી.

દવિન્દર સિંહે પોલીસ પર તેને એક રૂમમાં બંધ કરીને માર મારવાનો આરોપ લગાવ્યો છે. જલંધર પ્રેસ ક્લબમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વીર દવિન્દરે એસએચઓ અજાયબ સિંહ પર મારપીટ અને ગેરવર્તનનો આરોપ લગાવ્યો હતો. વીર દવિન્દરે કહ્યું કે તે મોડલ ટાઉનમાં મોડી રાત્રે પોતાની દુકાન પર પરાઠા બનાવીને જ તેના પરિવારને ખવડાવે છે. પરંતુ જેમ જ એસએચઓ અજાયબ સિંહને સમાચાર મળ્યા કે કપિલ શર્મા તેની દુકાન પર પરાઠા ખાવા આવ્યો છે, તેણે વીર દવિંદરને ઉપાડી લીધો અને માર માર્યો. વીર દવિન્દરે જણાવ્યું કે તેને થોડા કલાકો સુધી રૂમમાં બંધ રાખવામાં આવ્યો અને ગેરવર્તન કર્યું. પરાઠા બનાવનાર વીર દવિન્દરે હવે એસએચઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે.