કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સીનેસર્ટિફિકેટ આપવાના મામલે કોઈ નિર્ણય ન લેવા બદલ સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશનને ફટકાર લગાવી

ફિલ્મ ઇમરજન્સીની રીલીઝ પર કાનૂની ખતરો લટકી રહૃાો છે. જો કે હવે ફિલ્મ સાથે જોડાયેલા લોકો માટે રાહતના સમાચાર છે. વાસ્તવમાં, બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનને ઠપકો આપ્યો હતો અને સ્પષ્ટ કહૃાું હતું કે સર્જનાત્મક સ્વતંત્રતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને રોકી શકાય નહીં. આ સાથે, તેણે એ પણ કડક ટિપ્પણી કરી કે સેન્સર બોર્ડ માત્ર કાયદા અને વ્યવસ્થાની ચિંતાઓનો સામનો કરતી ફિલ્મને પ્રમાણિત કરવાનો ઇનકાર કરી શકે નહીં.

જસ્ટિસ બીપી કોલાબાવાલા અને ફિરદોશ પૂનીવાલાની બેન્ચે કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સીને સર્ટિફિકેટ આપવાના મામલે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા કોઈ નિર્ણય ન લેવા પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ 25મી સપ્ટેમ્બર સુધીમાં નિર્ણય લેવા આદેશ કર્યો છે. વધુમાં, કોર્ટે પૂછ્યું કે શું સીબીએફસી એવું વિચારે છે કે આ દેશના લોકો એટલા ભોળા છે કે તેઓ ફિલ્મમાં બતાવવામાં આવેલી દરેક વસ્તુ પર વિશ્ર્વાસ કરી શકે છે. અરજદારના દાવા પર કે સીબીએફસી રાજકીય કારણોસર ફિલ્મને પ્રમાણપત્ર આપવામાં વિલંબ કરી રહી છે. તેના પર કોર્ટે કહૃાું કે ફિલ્મના કો-પ્રોડ્યુસર રનૌત પોતે ભાજપના સાંસદ છે. બેન્ચે એ પણ પૂછ્યું કે શું શાસક પક્ષ પોતાના જ સાંસદ વિરુદ્ધ કામ કરી રહૃાો છે.

તમને જણાવી દઈએ કે, પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવવા સિવાય ફિલ્મનું દિગ્દર્શન અને સહ-નિર્માણ કરનાર કંગના રનૌતે આ સપ્તાહની શરૂઆતમાં સીબીએફસી પર ફિલ્મની રિલીઝને મુલતવી રાખવા માટે પ્રમાણપત્ર ન આપવાનો આરોપ લગાવ્યો હતો.

બેન્ચે કહૃાું, તમારે (સીબીએફસી) કોઈ નિર્ણય લેવો પડશે. તમારામાં એ કહેવાની હિંમત હોવી જોઈએ કે આ ફિલ્મ રિલીઝ ન થઈ શકે. ઓછામાં ઓછું તો અમે તમારી હિંમતની કદર કરીશું. અમે નથી ઈચ્છતા કે સીબીએફસી મુશ્કેલીમાં મુકાય. કોર્ટ ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝની અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં સીબીએફસીને ફિલ્મ ઈમરજન્સી માટે પ્રમાણપત્ર જારી કરવા માટે નિર્દેશની માંગ કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ શરૂઆતમાં 6 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ આ ફિલ્મ વિવાદમાં ફસાઈ ગઈ જ્યારે શિરોમણી અકાલી દળ સહિત શીખ સંગઠનોએ સમુદાયને ખોટી રીતે રજૂ કરવા અને ઐતિહાસિક તથ્યોને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ લગાવ્યો. હાઈકોર્ટે આ મહિનાની શરૂઆતમાં સેન્સર બોર્ડને ફિલ્મને તાત્કાલિક પ્રમાણપત્ર આપવાનો નિર્દેશ આપીને તાત્કાલિક રાહત આપવાનો ઇનકાર કર્યો હતો.

કોર્ટે કહૃાું હતું કે મધ્યપ્રદેશ હાઈકોર્ટ દ્વારા ફિલ્મને પ્રમાણિત કરતા પહેલા વાંધાઓ પર વિચાર કરવા માટે સેન્સર બોર્ડને કહેવામાં આવેલા નિર્દેશને ધ્યાનમાં રાખીને તે આ તબક્કે કોઈ તાત્કાલિક રાહત આપી શકે નહીં. ત્યારપછી બેન્ચે સેન્સર બોર્ડને નિર્દેશ આપ્યો હતો કે તે ફિલ્મને સર્ટિફિકેટ જારી કરવું કે કેમ તે અંગે 18 સપ્ટેમ્બર સુધીમાં નિર્ણય લે.

સીબીએફસી તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિનવ ચંદ્રચુડે ગુરુવારે કોર્ટને જણાવ્યું હતું કે બોર્ડના અધ્યક્ષે અંતિમ નિર્ણય માટે ફિલ્મને સમીક્ષા સમિતિને મોકલી છે. ફિલ્મને સર્ટિફિકેટ આપવાના કારણે જાહેરમાં અવ્યવસ્થા થવાની સંભાવના છે. વરિષ્ઠ વકીલ વેંકટેશ ધોંડે, ઝી એન્ટરટેઈનમેન્ટ તરફથી હાજર રહીને જણાવ્યું હતું કે આ માત્ર સમય બચાવવા અને હરિયાણામાં ચૂંટણી યોજાવાની છે ત્યારે ફિલ્મ ઓક્ટોબર પહેલા રિલીઝ ન થાય તેની ખાતરી કરવા માટે કરવામાં આવી હતી. બેન્ચે કહૃાું કે સીબીએફસીએ તેના અગાઉના આદેશનું પાલન કર્યું નથી અને જવાબદારી એક વિભાગમાંથી બીજા વિભાગમાં ખસેડી છે. સેન્સર બોર્ડની આખી કવાયત 18 સપ્ટેમ્બર સુધીમાં પૂરી થઈ જવી જોઈતી હતી.

બેન્ચે કહૃાું કે સીબીએફસી એ નિષ્કર્ષ પર નથી આવી શકી કે કાયદો અને વ્યવસ્થાની સમસ્યા હોઈ શકે છે અને તેથી ફિલ્મને પ્રમાણિત કરી શકાય નહીં. કોર્ટે કહૃાું કે આપણે આને રોકવાની જરૂર છે. અન્યથા આ બધું કરીને આપણે સર્જનાત્મક સ્વતંત્રતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને સંપૂર્ણપણે મર્યાદિત કરી રહૃાા છીએ. હાઈકોર્ટે એમ પણ કહૃાું કે, શું ઝ્રમ્હ્લઝ્ર એવું માને છે કે આ દેશના લોકો એટલા નિર્દોષ અને મૂર્ખ છે કે તેઓ ફિલ્મોમાં જે પણ જુએ છે તે માને છે? સર્જનાત્મક સ્વતંત્રતા વિશે શું? કોર્ટે એ પણ આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું કે લોકો ફિલ્મોમાં જે બતાવવામાં આવે છે તેના પ્રત્યે આટલા સંવેદનશીલ કેમ બની ગયા છે.

Don`t copy text!