કંગનાએ હવે આમિરખાન પર નિશાન સાધ્યું -કોઈ સમયે મારો બેસ્ટ ફ્રેન્ડ હતો

મુંબઈ,બોલિવુડમાં કોઈને કોઈ મુદ્દે વિવાદમાં રહેતી એકટ્રેસ કંગના રનૌત હવે આમીરખાનને લઈને ખુલાસો કર્યો છે.તેણે એક અલગ અંદાજમાં આમીરખાન પર નિશાન સાધી કહ્યું છે-કયારેક આમીરખાન મારો બેસ્ટ ફ્રેન્ડ હતો. પણ ૠત્વિક રોશનના મામલા બાદ તેણે મારી વચ્ચે અંતર કરી નાખ્યુ હતું. કંગનાએ તેની ઈન્સ્ટ્રાગ્રામ સ્ટોરીમાં લખ્યુ હતું-ખરેખર તો મને પણ કયારેક કયારેક એ દિવસો યાદ આવે છે જયારે આમિરખાન મારો બેસ્ટ ફ્રેન્ડ હતો. એ દિવસો કોણ જાણે કયાં ચાલ્યા ગયા.

આ પોસ્ટમાં કંગનાએ એક વિડીયો પણ શેર કર્યો હતો. જે ટીવી શો ‘સત્યમેવ જયતે’ના સેટનો છે. કંગનાએ આગળ લખ્યુ છે એક વાત નકકી છે કે તે મારો મેન્ટર રહ્યો છે અને મારી ઘણી પ્રશંસા કરતો હતો. ૠત્વિકે જયારે મારી પર કેસ કર્યો હતો. એ પહેલા તેણે મારી ચોઈસને શેપ આપવાનું કામ પણ કર્યું હતું. પણ ત્યારબાદ તેણે પોતાની લોયલીટી કલીયર કરી દીધી હતી જયારે એક મહિલા સામે આખી ઈન્ડસ્ટ્રીઝ આવી ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે, ૠત્વિક અને કંગના વચ્ચે ‘ક્રિસ-૩’ દરમ્યાન રિલેશનશિપને લઈને મોટો વિવાદ થયો હતો, ત્યારે કંગનાએ ૠત્વિક પર અનેક આરોપ લગાવ્યા હતા અને પોતાનો રોલ કપાયાની પણ ફરિયાદ કરી હતી. જયારે ૠત્વિકે જાહેરમાં આ સંબંધોનો ઇન્કાર કર્યો હતો.