કાલોલ શકિતપુરા નર્મદા કેનાલ માંથી અભેટવાના 44 વર્ષીય વ્યકિત મરણ ગયેલ હાલતમાંં મળી આવ્યો

કાલોલ, કાલોલ તાલુકાના શકિતપુરા નર્મદા કેનાલ માંથી 44 વર્ષીય વ્યકિતનો મૃતદેહ મળી આવ્યો. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાંં આવી.

પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના અભેટવા ગામે તળાવ ફળીયામાંં રહેતા અર્જુનસિંહ ઉર્ફે વિકાસ નરવતસિંહ રાઠોડ ઉ.વ.44 જે પોતાના ધરેથી નિકળી 30મેના રોજ ખાખરીયા નર્મદા કેનાલ ઉપરના પગથીયા ઉતરીને કોઇ અગમ્યકારોણસર અથવા લીધેલ લોનનું દેવું વધુ જવાના કારણે કેનાલના પાણીમાં કુદીને ગુમ થઈ ગયેલ હતા અને 1 જુનના રોજ નર્મદા શકિતપુરા ગેટ પાસેથી તેમના મૃતદેહ મળી આવેલ હતો. ધટનાની જાણ થતાં કાલોલ પોલીસ ધટના સ્થળે પહોંંચીને મૃતદેહનો કબ્જો મેળવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી આ બાબતે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.