કાલોલ સરદાર ભવન ખાતે કોંગ્રેસ સમિતિએ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઇ બેઠક યોજાઈ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ નીસૂચના અને પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચેતનસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ આજરોજ તારીખ 29/07/2024ને સોમવાર નારોજ કોંગ્રેસ હાઉસ, સરદાર ભવન, કાલોલ ખાતે બપોરે 1-00 કલાકે AICC ના સેક્રેટરી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સહ પ્રભારી ઉષાબેન નાયડુ તેમજ માજી મંત્રી ઉદેસિંહ બારીયા પ્રદેશના અને જીલ્લાના પદાધિકારીઓ, કાલોલ શહેર અને તાલુકા કોંગ્રેસના આગેવાનો આગામી નગરપાલિકા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના સલાહ સૂચન કરી માર્ગદર્શન આપ્યું હતું. તાલુકા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ કાલોલના હોદ્દેદાર, કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.