કાલોલના દેલોલ ગામે 36 વર્ષીય મહિલા મગજની અસ્થિરતાને લઈ એસીડ પી જતાં સારવાર દરમિયાન મોત

કાલોલ, કાલોલ તાલુકાના દેલોલ ગામે રહેતી 36 વર્ષીય મહિલાએ મગજની અસ્થિરતાના કારણે ધરના બાથરૂમમાં રાખેલ એસીડ પી જતાં દવા સારવાર માટે ગોધરા સિવિલમાં ખસેડતા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું.

પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના દેલોલ ગામે રહેતા જયેશભાઇ કંચનભાઇ હરીજનની મોટી બહેન ધર્મીષ્ઠાબેન તા.31મેના રોજ સવારના સમયે અગમ્યકારણોસર પોતાના ધરના બાથરૂમમાં મુકી રાખેલ એસીડ પોતે કોઇ અગમ્યકારણોસર પી ગયેલ હોય જેને દવા સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડતા દવા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું. આ બાબતે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.