કાલોલના બોરૂ ગામે દરજી સમાજ દ્વારા હરસિધ્ધી માતાજીના મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું

શહેરા,કાલોલ તાલુકાના બોરૂ ગામમાં આવેલ હરસિધ્ધિ માતાજીના મંદિર ખાતે કાલોલ દરજી જ્ઞાતિ મંડળ દ્વારા ચેત્ર મહિનાના ત્રીજા રવિવારે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નવચંડી યજ્ઞમાં બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે 31 દંપતીઓ એ પૂજા અર્ચના કરી હતી.આ નવચંડી યજ્ઞમાં સ્થાનિક જિલ્લા તેમજ અન્ય જીલ્લા માંથી આવેલા દરજી સમાજના વડીલો, ભાઈ-બહેનો એ મંદિરમાં બિરાજમાન હરસિધ્ધિ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. જ્યારે દરજી જ્ઞાતિ મંડળ દ્વારા અહી મહા આરતી સાથે પ્રસાદી રાખવામાં આવી હતી. જેનો લાભ નવચંડી યજ્ઞમાં આવેલા દરજી સમાજના વડીલો અને ભાઈ -બહેનો એ લીધ્યો હતો.