કાલોલ તાલુકાના હિંમતપુરા ગામે વરસાદી પાણી નિકાલ ના થતાં રોગચાળો ફેલાવાની શક્યતા

કાલોલ તાલુકાના હિંમતપુરા ગામે વરસાદી પાણીનો નિકાલ થતો ન હોવાથી પ્રાથમિક શાળા નજીકથી પસાર થતો રસ્તો જાને તળાવ હોય તેમ પાણી ભરાઈ રહેતું હોવાથી ગામ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પાછલા બે વર્ષથી પાણી નો નિકાલ થઈ શકતો નથી.

જેના કારણે ગામ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામ પંચાયતનો વહીવટ છેલ્લા બે વર્ષથી વહીવટદાર કરી રહ્યા છે, ત્યારે ગામ લોકોની મુશ્કેલીઓ દૂર ક્યારે થશે એવું ગામ લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે પાછલા બે વર્ષથી વહીવટદાર વહીવટ કરી રહ્યા છે ત્યારે ગામ લોકોની અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે. જેથી વેહલી તકે નિરાકરણ લાવી સમસ્યા દૂર કરે તેવી લોક માંગ ઉઠી છે.