જૂનાગઢમાં આજથી શિવરાત્રિના મેળાનો વિધિવત્ પ્રારંભ કરાયો

જૂનાગઢ, જૂનાગઢમાં આજથી શિવરાત્રિના મેળાનો પ્રારંભ થયો છે. મહાશિવરાત્રિના પાવન પર્વની ઉજવણીરૂપે આજે સાધુ, સંતો દ્વારા ભવનાથ મંદિરની પૂજા કરી અને ધજા ચઢાવી હર હર મહાદેવના નાદ સાથે શિવરાત્રિ મેળાનો આરંભ કરાયો છે.

જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં ૫ થી ૮ માર્ચ સુધી શિવરાત્રિના મેળાનો પ્રારંભ થયો છે. વહેલી સવારથી ભાવિક ભક્તો ભવનાથ મહાદેવના મંદિરે દર્શન માટે ઉમટી પડ્યા છે. ૪ દિવસ સુધી ચાલનારા મેળામાં ભોજન, ભક્તિ અને ભજનનો ત્રિવેણી સંગમ જોવા મળશે.

સાધુ, સંતો અને અધિકારીઓ દ્વારા મંદિરના શિખરે ધજા ચઢાવાઈ હતી. તેમજ પૂજા વિધિ કરવામાં આવી હતી. મહાદેવના નાદ સાથે ભવનાથ મહાદેવની પૂજા કરી આજથી મેળો ખુલ્લો મૂકાયો છે. તંત્ર દ્વારા સમગ્ર તૈયારીઓ કરી દેવાઈ છે.