
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. રાજકીય પક્ષો ચૂંટણી મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. કોંગ્રેસ અયક્ષ મલ્લિકાર્જુન ખડગે અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીરની બે દિવસની મુલાકાતે ગયા હતા. કાર્યર્ક્તાઓને સંબોધતા ખડગેએ કહ્યું કે જો લોક્સભા ચૂંટણીમાં કોંગ્રેસને કેટલાક રાજ્યોમાં ૨૫ વધુ બેઠકો મળી હોત તો રાહુલ ગાંધી વડાપ્રધાન બન્યા હોત. તેમણે કાર્યકરોને આગામી વિધાનસભાની ચૂંટણીમાં વિજય સુનિશ્ર્ચિત કરવા સખત મહેનત કરવા અપીલ કરી હતી.
કોંગ્રેસ અયક્ષે કહ્યું કે પાર્ટીનો ઉદ્દેશ્ય જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુન:સ્થાપિત કરવાનો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપને સત્તા પરથી હટાવવાનો છે. તેમણે જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી અને કહ્યું હતું કે તાજેતરમાં પૂર્ણ થયેલી લોક્સભા ચૂંટણીમાં તેમના નબળા પ્રદર્શન છતાં તેઓ ઘમંડી છે.
કોંગ્રેસ અયક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શ્રીનગરમાં કાર્યર્ક્તાઓને કહ્યું કે, અમે સંસદીય ચૂંટણીમાં કદાચ અહીંથી સીટ જીતી ન શક્યા હોત, પરંતુ ’ઇન્ડિયન નેશનલ ડેમોક્રેટિક ઇક્ધ્લુઝિવ એલાયન્સ’ (ઇન્ડિયા)એ અહીંથી ઘણી સીટો જીતી છે. જો અમને જમ્મુ-કાશ્મીર, મય પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને અન્ય રાજ્યોમાં પાંચ-પાંચ બેઠકો મળી હોત. જો અમને કુલ ૨૫ બેઠકો મળી હોત તો અમારા નેતા રાહુલ ગાંધી વડાપ્રધાન બન્યા હોત. પાર્ટીના કાર્યર્ક્તાઓને મહેનત કરવાની અપીલ કરતાં તેમણે કહ્યું કે જીતવા માટે જરૂરી છે, માત્ર શબ્દોથી જીત મેળવી શકાતી નથી. જો આપણે ગ્રાઉન્ડ લેવલ પર કામ કર્યા વગર વાત કરતા રહીશું તો જીત નહીં મળે.
કોંગ્રેસ અયક્ષ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કાર્યકરોને સંબોયા બાદ નેશનલ કોન્ફરન્સના નેતાઓ ફારુક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લા સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે એનસી અને કોંગ્રેસ ગઠબંધનમાં તમામ ૯૦ સીટો પર ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે, અમે એક છીએ, જેમાં સીપીઆઇએમ સામેલ છે, ભારતની તમામ પાર્ટીઓ ગઠબંધનમાં એક છે. આ દરમિયાન એનસી ચીફે મહેબૂબા મુતીની પાર્ટી પીડીપી સાથે ગઠબંધનની વાત પણ કરી અને કહ્યું કે દરવાજા કોઈના માટે બંધ નથી.