જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ખેડા-નડીઆદ દ્વારા રોજગાર ભરતીમેળો તેમજ પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર યોજાશે

નડીયાદ,જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ખેડા-નડીઆદ દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા.07/03/2024નાં રોજ સવારે 11:30 કલાકે સરકારી આર્ટસ અને કોમર્સ કોલેજ, ખેડા તા.જી.ખેડા ખાતે રોજગાર ભરતીમેળા તેમજ સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.

આ રોજગાર ભરતીમેળામાં ખેડા જીલ્લાના તેમજ જીલ્લા બહારના નોકરીદાતાઓ દ્વારા કુશળ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. જેમાં 18 થી 30 વર્ષની ઉંમરના ધોરણ 10 પાસ, 12 પાસ, આઈ.ટી.આઈ- પાસ તમામ ટ્રેડ, B.Com, B.Sc (Chemistry) કક્ષાનાં ઊત્તીર્ણ થયેલ લાયકાત ધરાવતા ફક્ત શારીરિક સશક્ત ઉમેદવારો ભાગ લઇ શકશે. ઇચ્છુક ઉમેદવાર અનુબંધમ પોર્ટલwww.anubandham.gujarat.gov.inઉપર રજીસ્ટ્રેશન કરી શકે છે. આ રોજગાર ભરતી મેળાનું અનુબંધમ જોબફેર આઇ.ડી. JF779889799 છે. ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે. આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના માત્ર ખેડા જીલ્લાનાં જ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઇ શકશે એમ જીલ્લા રોજગાર અધિકારી દ્વારા જણાવાયું છે.