જીલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને જીલ્લાના વિવિધ વેપારી મંડળો સાથે મતદાર જાગૃતિ કેમ્પેઇનમાં સહયોગ આપવા એમઓયુ કરવામાં આવ્યા

  • લોકસભા સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે નાગરિકોને અપીલ કરતા જીલ્લા ચૂંટણી અધિકારી.

લુણાવાડા,લોકસભા સામાન્ય ચુંટણી-2024 નુ મતદાન તા.07/05/2024ના રોજ યોજાનાર છે. જે અંતર્ગત જીલ્લા ચુંટણી અઘિકારી ઘ્વારા વિવિઘ માઘ્યમો ઘ્વારા મતદાનની ટકાવારી વઘે તે હેતુસર ઘણા કાર્યક્રમો તથા નવતર પ્રયોગો કરવામાં આવી રહેલ છે. જે અંતર્ગત આજરોજ લુણાવાડાના વિવિઘ વ્યવસાયો સાથે જોડાયેલ વેપારીઓ, મેડીકલ સ્ટોરના માલીકો તથા મોલ અને હોટેલના સંચાલકો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું

મતદાર જાગૃતિ કાર્યક્રમમાં તમામ સંસ્થાઓની સહભાગીતા આવશ્યક છેા જે અનુસાર જુદા જુદા વ્યવસાયકારોને તેમની વ્યવસાયના સ્થળે સેલ્ફી પોઇન્ટ, બેનર, સ્ટીકર તથા સ્ટેમ્પીંગ સ્લોગન લગાવવા તથા 5ત્રિકાઓ પ્રદર્શિત કરવા અને મતદાનના દિવસે મત આપીને આવેલા મતદારોને ખાસ ડીસ્કાઉન્ટ તેમજ તેમનુ સન્માન કરવા જેવા કાર્યક્રમો આયોજીત કરવા ચર્ચા વિચારણા કરવામાં આવ્યું તથા લુણાવાડાના વેપારી એશોરીએશન સાથે મતદાર જાગૃતિમાં સહયોગ અર્થે સહમતી કરાર કરવામાં આવ્યા.

આ બેઠકમાં પ્રોબેશનલ આઇએએસ મહેંક જૈન, નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી એમ એસ મનાત ઉપસ્થિત રહ્યા હતા.