જીલ્લા ચુંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને દાહોદ સેવા સદન ખાતે કાયદો અને વ્યવસ્થા અન્વયે બેઠક યોજાઇ

દાહોદ,લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની જાહેરાત થતાંની સાથે જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા અમલી બની છે. આ ચૂંટણી મુક્ત, ન્યાયી અને નિર્ભય વાતાવરણ યોજાય તે માટે દાહોદ જીલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જીલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં કામગીરી કરી રહ્યું છે.

આ બેઠકમા ચૂંટણીમાં આચારસંહિતાના ભંગને લગતી બાબતો પર વોચ રાખવા માટે સમગ્ર જીલ્લા તંત્ર અસરકારક રીતે ચૂંટણી પ્રક્રિયામાં જોડાઇ ગયું છે. દાહોદ જીલ્લાના લોકલ વિસ્તારોમાં ચુંટણીને લઈને કોઇપણ પ્રકારની ગેરરીતિ ના થાય એ માટે ચુંટણી અધિકારી યોગેશ નિરગુડે દ્વારા સુચના આપવામાં આવી હતી. ઉપરાંત ફ્લાઇંગ સ્ક્વોડ તેમજ લોકલ પોલીસે આંતરિક રીતે એકબીજા સાથે સંકલન સાધીને કામગીરી કરવા સુચવ્યું હતું. સ્ટ્રોંગ રૂમના પ્રોટેક્શન માટે તેમજ મત કેંદ્રોના રૂટ નક્કી કરીને દાહોદ જીલ્લાના સરહદી વિસ્તારોમા તેમજ અંતરિયાળ વિસ્તારોમાં થતી શંકાસ્પદ હલચલની જાણ કરવા ત્યાના સ્થાનિકોને જરૂરી જાણકારી સહિત માર્ગદર્શન આપી આચારસંહિતાનો ભંગ ન થાય તેની સમ્પુર્ણપણે તકેદારી રાખવા જણાવ્યું હતું.

દાહોદ જીલ્લામાં લોકસભા સામન્ય ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે એ માટે જીલ્લા પોલીસ તંત્રની કામગીરી અને ચુસ્ત વ્યવસ્થા બાબતે માહિતી આપતા જીલ્લાના પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલા એ જણાવ્યું કે, જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ અને મુક્ત, ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાઇ એ માટે જીલ્લા પોલીસ રાતદિવસ કામગીરી કરી રહી છે. વધુમાં ઝાલાએ જણાવ્યું કે સ્થાનિક પોલીસ દ્વારા સરહદી ગામોમાં ચૂંટણી દરમિયાન સઘન પેટ્રોલીગ, ભાગેડુ ગુનેગારોને પકડી પાડવા તેમજ ચૂંટણી ન્યાયી, નિષ્પક્ષ અને પારદર્શક રીતે યોજાઈ એ માટે પોલીસનો સઘન બંદોબસ્ત સહિતની બાબતો વિશે ચર્ચા કરી હતી.

આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢા, સંખ્યાધિક અધિક કલેકટર જે.બી.ઉપાધ્યાય ,એ.એસ.પી બિશાખા જૈન, નાયબ જીલ્લા ચુંટણી અધિકારી હેતલબેન, તમામ પ્રાંત અધિકારી ઓ, દાહોદ જીલ્લાના નાયબ પોલીસ અધિક્ષક ઓ, મામલતદારઓ સહિત સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.