જેતલસર હાઈવે પર કાર ચાલકે બાઈક સવાર દંપતીને અડફેટે લીધા, દંપતીનુ ઘટના સ્થળે મોત

રાજકોટ,રાજકોટના જેતલસર ગામ નજીકના હાઇવે પર અકસ્માતની ઘટના બની છે. બાઈક સવાર દંપતીને કાર ચાલકે અડફેટમાં લીધા હતા. આ અકસ્માતમાં બાઈક સવાર વૃદ્ધ દંપતિનું ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યું હતુ. બાઈક સવાર દંપતી છોડવડી ગામથી જેતલસર જઈ રહ્યા હતા તે સમયે અકસ્માત નડ્યો હતો.

રાજકોટમાં ફરી એક વાર અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટના જેતલસર ગામ નજીકના હાઇવે પર અકસ્માતની ઘટના બની છે. બાઈક સવાર દંપતીને કાર ચાલકે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બાઈક સવાર વૃદ્ધ દંપતિનું ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યું હતુ. બાઈક સવાર દંપતી છોડવડી ગામથી જેતલસર જઈ રહ્યા હતા તે સમયે અકસ્માત નડ્યો હતો.

અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને દંપતીના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા તાલુકા પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પોંહચી તપાસ હાથ ધરી હતી.

દરમિયાન ભાવનગરમાં મહુવા નજીક રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે નેશનલ હાઈવે-૮ પર મહુવાથી વડલી ગામ તરફ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. ગમખ્વાર અકસ્માતમાં રિક્ષા ચાલક સહિત ૩ લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા. મળતી માહિતી અનુસાર રિક્ષા મહુવાની આરબીકે હનુમંત હાઈસ્કૂલ શાળાની હતી.