જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા 2024: મહીસાગર જીલ્લાની સરકારી કે સરકાર માન્ય શાળામાં ધોરણ 5 (પાંચ)માં અભ્યાસ કરતા બાળકો ઓનલાઈન રજીટ્રેશન કરાવી શકે છે

મહિસાગર, જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ6 માં (સત્ર 2024-25) પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા 20/01/2024 ને શનિવારના રોજ યોજાનાર છે હાલ શૈક્ષણિક સત્ર 2023-24 દરમિયાન મહીસાગર જીલ્લાની સરકારી કે સરકાર માન્ય શાળામાં ધોરણ 5 (પાંચ)માં અભ્યાસ કરતા બાળકો તા. 10/08/2023 સુધી ઓનલાઈન રજીટ્રેશન કરાવી શકે છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા ઉમેદવાર https://navodaya.gov.in/ અનેhttps://cbseitms.rcil.gov.in/nvs/ વેબ સાઈટ પર જઈને ફ્રીમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે.