
કાવડ માર્ગ પર દુકાનદારોના નામ લખવા અંગેના નિર્ણયનો ભાજપ સરકારના સાથી પક્ષોએ વિરોધ શરૂ કર્યો છે. દ્ગડ્ઢછ સરકારમાં રહેલા કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પણ આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે જ્યારે પણ જાતિ કે ધર્મના નામે કોઈ વિભાજન થાય છે ત્યારે હું તેનું સમર્થન કરતો નથી. આ પહેલા એનડીએ સરકારના જેડીયુ અને ઇન્ડ્ઢએ પણ યુપી સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો.
ઉત્તર પ્રદેશના મુઝફરનગરમાં પોલીસ પ્રશાસને પહેલા સૂચના આપી હતી કે કંવર માર્ગ પર આવતી દુકાનો પર દુકાનદારોના નામવાળા બોર્ડ લગાવવાના રહેશે. આ પછી શામલી અને સહારનપુર જિલ્લામાં પણ આવી જ સૂચનાઓ આપવામાં આવી હતી. જેના કારણે સપા, બસપા, કોંગ્રેસ જેવા વિપક્ષી દળોએ તેનો વિરોધ દર્શાવ્યો હતો. અખિલેશ યાદવે ભાજપને સામાજિક સમરસતાની દુશ્મન ગણાવી હતી. સાથે જ માયાવતીએ આ આદેશ પાછો ખેંચવાની પણ માંગ કરી હતી. પોલીસ પ્રશાસનના આદેશ બાદ સીએમ યોગી આદિત્યનાથે પણ કહ્યું હતું કે રાજ્યભરમાં કંવર રૂટ પર આવેલી ખાણીપીણીની દુકાનોના માલિકોના નામ અને ઓળખ લખવી પડશે. મુસાફરોની આસ્થાની પવિત્રતા જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત હલાલ સટફિકેશન સાથે ઉત્પાદનોનું વેચાણ કરનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.
આ નિર્ણયનો વિરોધ માત્ર વિપક્ષ જ નહીં પરંતુ ભાજપના સાથી પક્ષો પણ કરી રહ્યા છે. ઇન્ડ્ઢના પ્રદેશ અધ્યક્ષ રામાશીષ રાયે ટ્વિટર પર લખ્યું કે ઉત્તર પ્રદેશ પ્રશાસન દ્વારા દુકાનદારોને તેમની દુકાનો પર નામ અને ધર્મ લખવાની સૂચના જાતિ અને સંપ્રદાયને પ્રોત્સાહન આપવાનું પગલું છે. તેમણે આ સૂચના પાછી ખેંચવાની પણ માંગ કરી હતી. તે જ સમયે, જેડીયુના પ્રવક્તા કેસી ત્યાગીએ પણ કહ્યું છે કે સાંપ્રદાયિક વિભાજનનો કોઈ આદેશ જારી કરવામાં ન આવે. તેમણે સરકારને આ આદેશની સમીક્ષા કરવાની પણ માંગ કરી હતી.