વડોદરા, ગત રોજ વડોદરા ખાતે ભાજપ દ્વારા કાર્યર્ક્તા સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમમમાં ભરૂચનાં સાંસદ મનસુખ વસાવા પણ હાજર રહ્યા હતા. યુસીસી માટે હજી સરકાર કામ કરી રહી છે. તેમજ સરકાર બધા લોકોને વિશ્ર્વાસમાં લઈને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરાશે. તેમજ લોક્સભાની ૨૬ બેઠકો ગુજરાતમાં ભાજપ જીતશે.
વધુમાં ચૈતર વસાવા દ્વારા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપવા અંગે તેઓએ જણાવ્યું હતું કે જરૂર પડશે તો હું સમાજ માટે રાજીનામું આપીશ. ત્યારે ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાને લઈ ચૈતર વસાવાનું નિવેદન આપ્યું છે કે મનસુખ વસાવાએ સમાજ સાથે લડતમાં સાથ આપવો જોઈએ. પોતાનાં પદ પરથી રાજીનામું આપીને પણ મનસુખ વસાવાએ સમાજને સાથ આપવો જોઈએ. ત્યારે ગત રોજ મનસુખ વસાવાએ કહ્યું હતું કે ચૈતર વસાવા ભાજપમાં આવે તો વેલકમ છે.
ગત રોજ વડોદરામાં ભાજપ દ્વારા કાર્યર્ક્તા સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચનાં સાંસદ મનસુખ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાએ યુસીસી યુસીસી મામલે નિવેદન આપ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું હતું કે,યુસીસી માટે હજી સરકાર કામ કરી રહી છે. તેમજ સરકાર બધા લોકોને વિશ્ર્વાસમાં લઈને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરાશે. ત્યારે ચૈતર વસાવાનાં રાજીનામાં આપવાની ચીમકી અંગે મનસુખ વસાવાએ કહ્યું હતું કે, ચૈતર વસાવા ભાજપમાં આવે તો વેલકમ છે. તેમજ લોક્સભાની ૨૬ બેઠકો ગુજરાતમાં ભાજપ જીતશે. તેમજ જે.પી. નડ્ડાએ તમામ બેઠકો જીતવા માટે આહ્વાન કર્યું હતું.