
જમ્મુ
જમ્મુ-કાશ્મીરમાં હવામાન સતત બદલાઈ રહ્યું છે. ગાંદરબલના કંગન તાલુકામાં વાદળ ફાટવાના કારણે અનેક રહેણાંક મકાનો અને સરકારી ઈમારતોને નુક્સાન થયું છે. આ સિવાય એક ધામક સ્થળને પણ થોડું નુક્સાન થયું છે. એસડીએમએ જણાવ્યું કે અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. શનિવારે સવારે મય કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના કંગન તહસીલના પ્રેંગ જંગલ વિસ્તારના ઉપરના ભાગમાં વાદળ ફાટવાથી અચાનક પૂર આવ્યું. તેનાથી કેટલાક રહેણાંક મકાનો અને એક મસ્જિદને આંશિક નુક્સાન થયું હતું. માહિતી મળતાં જ પોલીસે સ્થાનિક લોકો સાથે મળીને વિસ્તારમાં રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

એસડીએમ કંગન જાવેદ અહેમદ રાથેર અને અન્ય વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તેમણે માહિતી આપી કે અસરગ્રસ્ત પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. આ વિસ્તારમાં રોડ અને અન્ય વસ્તુઓને પુન:સ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ છે. હાલ આ ઘટનામાં કોઈ જાન-માલનું નુક્સાન થયું નથી. આ પહેલા શુક્રવારે ઉધમપુરના રામનગર વિસ્તારમાં એક મહિલાના ઘરની દિવાલ ધરાશાયી થતાં તેનું કચડાઈને મોત થયું હતું.

રાજૌરીના થન્નામંડીમાં ઘર અને ઢોરનો શેડ ધરાશાયી થતાં બે પશુઓના મોત થયા છે. પુંછ જિલ્લાના મેંધરમાં પણ એક ઘરની છત તૂટી પડી હતી. મજલતામાં, દાલ નાળાનું પાણીનું સ્તર વધવાને કારણે શાળાના ઘણા વિદ્યાર્થીઓ ફસાયા હતા, જેના કારણે તેઓને શાળાએ પહોંચવામાં મોડું થયું હતું. ડોડાના કલજુગાસર વિસ્તારમાં પૂરના કારણે એક ફૂટ ઓવરબ્રિજ ધોવાઈ ગયો હતો.
રિયાસી જિલ્લાના ચાસણા વિસ્તારમાં ભૂસ્ખલનથી બુધલ-રિયાસી માર્ગ પણ બંધ થઈ ગયો હતો. ડોડા, કિશ્તવાડ, ઉધમપુર, પૂંચ, જમ્મુ જિલ્લામાં પણ ભારે વરસાદ થયો હતો. પહાડી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે તવી, ચિનાબ, બસંતર અને ઉજ્જ સહિત અનેક નદીઓ અને નાળાઓ તણાઈ ગયા છે.