જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં આતંકી હુમલો, 7 લોકોનાં મોત:5 ઘાયલ, તમામ ટનલ સાઈટ પર કામ કરી રહ્યા હતા

Visuals deferred by unspecified time

રવિવારે રાત્રે આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના ગગનગિર વિસ્તારમાં પરપ્રાંતીય લોકો પર હુમલો કર્યો. આ હુમલામાં એક ડોક્ટર સહિત 7 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

  • 5 મજૂરો ઘાયલ થયાના અહેવાલ છે. તેમને શ્રીનગર મેડિકલ કોલેજ રેફર કરવામાં આવ્યા છે.
  • તમામ મજૂરો કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ ટનલ પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા હતા.
  • હુમલા પછી તરત જ સુરક્ષાદળોએ આખા વિસ્તારને ઘેરી લીધો છે. સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેથી હુમલાખોરો શક્ય તેટલી વહેલી તકે પકડી શકાય.

જે વિસ્તારમાં આતંકવાદી હુમલો થયો છે તે સીએમ ઓમર અબ્દુલ્લાના મતવિસ્તાર ગાંદરબલ વિધાનસભામાં આવે છે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું- હું આ હુમલાની સખત નિંદા કરૂં છું અને પીડિત પરિવારો પ્રત્યેની સંવેદના વ્યક્ત કરું છું.તે જ સમયે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે આ હુમલો દેશના વિકાસમાં ફાળો આપનારાઓ વિરૂદ્ધ છે.અગાઉ 16 ઓક્ટોબરના રોજ, શોપિયનમાં આતંકવાદીઓ દ્વારા પરપ્રાંતીય યુવાનોની હત્યા કરવામાં આવી હતી.

ગુપ્તચર એજન્સીઓએ જણાવ્યું હતું કે, ટાર્ગેટ કિલિંગ કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાનું પાકિસ્તાનનું નવું ષડયંત્ર છે. એવું માનવામાં આવે છે કે તેનો હેતુ કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ અને કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોના પુનર્વસનની યોજનાઓને તોડફોડ કરવાનો છે.

કલમ 370 નાબૂદ થયા પછી, કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ વધી છે, જેમાં આતંકવાદીઓએ ખાસ કરીને કાશ્મીરી પંડિતો, સ્થળાંતર કામદારો અને સરકાર અથવા પોલીસમાં કામ કરતા સ્થાનિક મુસ્લિમોને પણ નિશાન બનાવ્યા છે, જેમને તેઓ ભારતના કરીબી માને છે.