જહાનાબાદમનાં બાલ સુધાર ગૃહમાં થી નવ બાલ કેદી ફરાર

જહાનાબાદ,બિહારના જહાનાબાદના બાલ સુધાર ગૃહમાંથી મોડી રાતે નવ બાલ કેદીઓ કુદીને ફરાર થઇ ગયા હોવાની માહિતી મળતા જ પોલીસ કર્મચારીઓમાં હડકંપ મચી ગઇ હતી આ મામલો નગર પોલીસ સ્ટેશન વિસ્તારના ગૃહનો છે.ફરાર બાલ કેદીઓમાંથી પાંચ વૈશાલી જીલ્લાના રહેવાસી છે.બે અરવલ અને બે જહાનાબાદના બાલ કેદી સામેલ છે.ફરાર હજુ બાલ કેદી વિવિધ અપરાધિક મામલામાં સુધાર માટે રાખવામાં આવ્યા હતાં.

ઘટનાની માહિતી મળતા જ એસડીઓ અને એસડીપીઓ પહોંચી ગયા હતાં એસડીપીઓ અશોકકુમાર પાંડેયે કહ્યું હતું કે મોડી રાતે વાવાઝોડુ આવ્યું હતું તેનો લાભ ઉઠાવી નવ બાલ કેદીઓ દિવાલ કુદીને ફરાર થઇ ગયા હતાં ફરાર બાલ કેદીઓની ધરપકડને લઇ તેમના ઘરો અને અન્ય સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યાં છે અને તાકિદે ફરાર તમામ કેદીઓને પકડવામાં આવશે એ યાદ રહે કે ગૃહમાંથી બાલ કેદીઓના ફરાર થવાનો આ નવો મામલો નથી આ પહેલા પણ અનેકવાર બાલ કેદીઓ ફરાર થઇ ચુકયા છે આમ છતાં કોઇ વિશેષ સાવધાની રાખવામાં આવતી નથી