
સિડની, ફેડરલ સરકારે ઇસ્લામિક જૂથ હમાસ સામે યુદ્ધની ઘોષણા કરનાર ઇઝરાયેલમાંથી ઓસ્ટ્રેલિયન નાગરિકોને પરત લાવવાની તેની યોજનાઓને ગતિશીલ કરવાનું શરૂ કર્યું છે. ગાઝા વાડનો ભંગ કરનારા આતંકવાદીઓ દ્વારા કલાકો સુધી ચાલેલી હિંસામાં ૧,૨૦૦થી વધુ ઇઝરાયેલીઓ માર્યા ગયા હતા અને ૨,૭૦૦થી વધુ ઘાયલ થયા હતા. હજારો નાગરિકોને બંધકમાં બનાવવામાં આવ્યા હતા.
ગાઝા પર જવાબી હવાઈ હુમલામાં ૧,૦૦૦ થી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા અને ૫,૦૦૦ થી વધુ ઘાયલ થયા હોવાનું માનવામાં આવે છે. ત્યારથી પ્રમુખ એરલાઇન્સે તેલ અવીવથી આવતી જતી ફ્લાઈટ્સ સ્થગિત અથવા રદ કરી છે.લગભગ ૧૦,૦૦૦ ઓસ્ટ્રેલિયન રહેવાસીઓ અને તેનાથી પણ વધુ પ્રવાસીઓ ઇઝરાયેલમાં ફસાયેલા છે, ઓસ્ટ્રેલિયન અધિકારીઓ હજી પણ તેમની પરિસ્થિતિ શોધી જાણવા અને જેઓ છોડવા માંગે છે તેમને ઘરે લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
વડાપ્રધાન એન્થોની આલ્બાનીસે બુધવારે જાહેરાત કરી હતી કે બેન ગુરિયન એરપોર્ટથી લંડન માટે સ્વદેશ પરત ફરવાની ફ્લાઈટ્સ ફરી શરૂ થશે.તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, “અમે ઓસ્ટ્રેલિયન નાગરિકોને શક્ય હોય તેટલા ઝડપથી ઓસ્ટ્રેલિયામાં ઘરે પાછા ફરે તે તમામ વિકલ્પો વિશે વિચાર કરી રહ્યા છીએ.””અમે તાજેતરના દિવસોમાં તે આકસ્મિક પરિસ્થિતિઓ પર કામ કરી રહ્યા છીએ અને હમાસ દ્વારા સપ્તાહના અંતે અમે જોયેલા ભયાનક અને ધિક્કારપાત્ર હુમલાઓના પરિણામે વિવિધ મુદ્દાઓ પર આમ કરવાનું ચાલુ રાખીશું.”આ પ્રયાસની શરૂઆત ક્વાન્ટાસ દ્વારા મુસાફરોને વિના મૂલ્યે ચલાવવામાં આવતી બે ફ્લાઈટ્સ સાથે થશે, જેમાં વધુ વિકલ્પો આવવાના છે.
ઓસ્ટ્રેલિયનો કે જેઓ તે સહાયિત પ્રસ્થાન ફ્લાઈટ્સનો ઉપયોગ કરવા ઈચ્છે છે, અથવા ટર્મિનલ સુધી પહોંચવામાં અસમર્થ છે, તેમને ફેડરલ સરકારના ૨૪-કલાકના કોન્સ્યુલર ઈમરજન્સી સેન્ટરને કોલ કરવાની સલાહ આપવામાં આવી છે.પરંતુ સરકાર તેલ અવીવથી ફ્લાઈટ્સને પ્રાથમિક્તા આપી રહી છે, વિદેશી બાબતો અને વેપાર વિભાગ ઓસ્ટ્રેલિયનોને સમર્થન આપવા માટે વિકલ્પો પર કામ કરી રહ્યું છે જેમને લંડનથી વધુ સહાયની જરૂર છે.
જ્યારે હમાસના આતંકવાદીઓએ ગાઝા સરહદથી માત્ર કિલોમીટર દૂર તેમના ગામ પર હુમલો કર્યો ત્યારે માર્યા ગયેલા લોકોમાં ૬૬ વર્ષના ઓસ્ટ્રેલિયન દાદી ગાલિત કાર્બોન હતા.મેલબોર્ન સિનાગોગમાં આપેલા ભાષણમાં વડા પ્રધાને હિંસામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું, “નાગરિકોને નિશાન બનાવવું અને બંધક બનાવવું એ તમામ ઓસ્ટ્રેલિયનો માટે અપમાનજનક છે અને અમે આ ભયાનક કૃત્યોની નિંદા કરીએ છીએ.” અલ્બેનીઝે યહૂદી સમુદાયને પણ ખાતરી આપી કે ઓસ્ટ્રેલિયામાં યહૂદી વિરોધી અને દ્વેષપૂર્ણ પૂર્વગ્રહને કોઈ સ્થાન નથી.
વડાપ્રધાને કહ્યું, “અમે તમારા પરનો બોજ હળવો કરી શક્તા નથી, પરંતુ અમે તમને અમારા હૃદયમાં રાખીએ છીએ.” વિપક્ષના નેતા પીટર ડટને કહ્યું કે જો તે સાચું છે કે મધ્ય પૂર્વની સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે સંઘીય સરકારની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની હજુ સુધી બેઠક મળી નથી તો તે “અવિશ્ર્વસનિય” છે.