આઈટીઆઈ સિંગવડ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

દાહોદ, આગામી તા.7મી મેના રોજ રાજયમાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે વધુમાં વધુ મતદારો “ચુનાવ કા પર્વ ”ની ઉત્સાહભેર ઉજવણી કરે, મતદાન પ્રત્યે જાગૃત બને એ માટે જીલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ સિંગવડ ઔધોગિક તાલીમ સંસ્થા કેન્દ્ર ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં યુવા મતદારો અને ભાવિ મતદારો એવા વિદ્યાર્થીઓની પ્રોત્સાહક ભાગીદારી રહી હતી.

આ અવસરે મામલતદાર જી.કે.શાહ એ જણાવ્યું કે એ મતદાનની પવિત્ર ફરજ સમજીને લોકોને વધુમાં વધુ મતદાન કરવાનો અનુરોધ કર્યો હતો.