ઈસ્લામાબાદ-રાવલપિંડી સહિત પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા,તીવ્રતા ૪.૪

ઇસ્લામાબાદ, પાકિસ્તાનના ઈસ્લામાબાદ, રાવલપિંડી અને આસપાસના વિસ્તારોમાં શુક્રવારે સવારે લગભગ ૫.૩૦ વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૪ માપવામાં આવી છે.

નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટર ઈસ્લામાબાદ અનુસાર, તેની ઊંડાઈ ૧૫ કિમી નોંધવામાં આવી હતી, જેનું કેન્દ્ર કરાચીના કૈદાબાદ નજીક હતું. ભૂકંપના ડરથી લોકો કલમા-એ-તૈયબાનો પાઠ કરતા ઘરોમાંથી બહાર આવી ગયા હતા. જો કે, હજુ સુધી ભૂકંપના કારણે ઈસ્લામાબાદ અથવા રાવલપિંડીના કોઈપણ ભાગમાં જાનહાનિ અથવા સંપત્તિના નુક્સાનના કોઈ અહેવાલ નથી.

ગયા મહિને ગિલગિટમાં રિક્ટર સ્કેલ પર ૩.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સિસ્મિક મોનિટરિંગ સેન્ટરએ ગિલગિટ અને આસપાસના વિસ્તારોમાં આંચકાની પુષ્ટિ કરી છે, જેમાં કોઈ જાનહાની અથવા મિલક્તને નુક્સાન થયું નથી. એનએસએમસી ઈસ્લામાબાદે અગાઉની ઘટના માટે ૪૫ કિલોમીટરની ભૂકંપની ઊંડાઈ અને ઉત્તર પશ્ચિમમાં ૮૪ કિલોમીટરનું કેન્દ્રબિંદુ નોંધ્યું હતું. ઓક્ટોબરમાં, સિંધ પ્રાંતની રાજધાની કરાચીના વિવિધ વિસ્તારોને રિક્ટર સ્કેલ પર ૩.૧ ની તીવ્રતા સાથે હળવા ભૂકંપની અસર થઈ હતી.