ભારતીય નાગરિક સરબજીત સિંહની હત્યા કરનાર અંડરવર્લ્ડ ડોન આમિર સરફરાઝની હત્યા

ઇસ્લામાબાદ, પાકિસ્તાનના લાહોરની જેલમાં બંધક બનાવેલ ભારતીય નાગરિક સરબજીત સિંહની હત્યા કરનાર આમિર સરફરાઝ આજે ખેલ ખતમ થઈ ગયો છે. અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. સરબજીત સિંહનું ૨ મે ૨૦૧૩ના રોજ અવસાન થયું હતું. ૨૬ એપ્રિલ ૨૦૧૩ના રોજ પાકિસ્તાનની જેલમાં તેમના પર જીવલેણ હુમલો થયો હતો, જે બાદ તેમનું મૃત્યુ થયું હતું.

આ હત્યામાં અંડરવર્લ્ડ ડોન આમિર સરફરાઝ સામેલ હતો. એવું કહેવાય છે કે સરબજીત સિંહનું પોલિથીનથી ગળું દબાવીને માર મારીને હત્યા કરવામાં આવી હતી. સરબજીત સિંહને ટોર્ચર કરીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર, એવું માનવામાં આવી રહ્યું હતું કે સરફરાઝે આ ઘટનાને આઇએસઆઇના કહેવા પર અંજામ આપ્યો હતો.

સરબજીતને પાકિસ્તાનમાં જાસૂસીના આરોપમાં પાકિસ્તાની સેનાએ પકડ્યો હતો. પંજાબના રહેવાસી સરબજીતને લાહોર અને ફૈસલાબાદમાં ૧૯૯૧ના બોમ્બ વિસ્ફોટ પછી આતંકવાદ અને જાસૂસીના આરોપમાં મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. જો કે, તેની સજા પહેલા જ એપ્રિલ ૨૦૧૩માં કેટલાક કેદીઓએ સરબજીત પર હુમલો કર્યો હતો.

સરબજીત સિંહ ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા તરનતારન જિલ્લાના ભીખીવિંડ ગામના ખેડૂત હતા. ૩૦ ઓગસ્ટ ૧૯૯૦ ના રોજ, તે અજાણતા પાકિસ્તાની સરહદ પાર કરી ગયા જ્યાં પાકિસ્તાની સેના દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી. તે સમયે સરબજીતની ઉંમર માત્ર ૨૬ વર્ષની હતી. સરબજીતની મુક્તિ માટે લાંબો સંઘર્ષ ચાલ્યો હતો. પરંતુ સરબજીતને છોડવામાં આવે તે પહેલા જ તેની હત્યા કરવામાં આવી હતી.

સરબજીત સિંહના ભૂતપૂર્વ સાથી કેદી, જે લાહોર જેલમાં તેમની સાથે રહ્યા હતા, તેમણે દાવો કર્યો હતો કે સરબજીતના મૃત્યુ પાછળ પાકિસ્તાન સરકારનો હાથ હતો. થોડા સમય બાદ પાકિસ્તાને ખાનપૂત માટે આરોપી આમિર તંબા અને મુદ્દસરની ધરપકડ કરી હતી. અહેવાલો અનુસાર, તે બંને સરબજીત સિંહના સેલમાં બંધ હતા અને મે ૨૦૧૩માં તેના મૃત્યુ સુધી સતત તેને ટોર્ચર કરતા હતા.

Don`t copy text!