હું મારા ફેન્સ માટે એક્શન ફિલ્મો કરીને પણ તેમનાં દિલ જીતવા માંગુ છું,કિયારા અડવાણી

મુંબઇ,બોલિવૂડ એક્ટ્રેસીસમાં કિયારા અડવાણીએ પોતાનો વિશેષ દબદબો જાળવી રાખ્યો છે. અલબત્ત. બોલિવૂડમાં કિયારા અડવાણીના નામે ઘણી સફળ ફિલ્મો છે જે તેમને વધુ લાઇમલાઇટમાં રાખે છે. આજે મોટાભાગના ફિલ્મમેર્ક્સ ઉપરાંત જે તે બ્રાન્ડ્સવાળા તેમને પોતાના પ્રોજેક્ટમાં સામેલ કરવા માંગે છે.

કિયારા અડવાણીની ડિમાન્ડ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ છે. કિયારા અડવાણી પાસે પેન ઈન્ડિયન ફિલ્મો પણ છે, જોકે હાલમાં તેઓ પોતાની આગામી ફિલ્મ લ્લવૉર ૨’ અને લ્લડોન ૩’ માટે ટોક ઓફ ધ ઈન્ડસ્ટ્રી છે!

હા, સાચે જ હું આ ફિલ્મને લઇને ખૂબ જ ઉત્સાહિત છું, કારણ કે આ ફિલ્મ મારી પહેલી એક્શન ફિલ્મ છે. મને એક્શન ફિલ્મો કરવી ખૂબ જ ગમે છે. મેં અત્યાર સુધી ઘણી ફિલ્મો કરી પરંતુ એક્શન ફિલ્મો નથી કરી તો હું મારા ફેન્સ માટે એક્શન ફિલ્મો કરીને પણ તેમનાં દિલ જીતવા માંગુ છું. મારે આ ફિલ્મ માટે હજી ઘણી તૈયારીઓ કરવાની છે. જો હું આ ફિલ્મમાં પરફેક્ટ એક્શન સ્ટંટ નહીં કરી શકું તો તેની સીધી અસર ફિલ્મ પર થશે, તેથી મેં આ ફિલ્મ માટે કમર ક્સી લીધી છે. ટૂંક સમયમાં જ મારા ફેન્સ મારા નવા રૂપને વધાવી લેશે.

જુઓને મેં મારાં લગ્ન બાદ આમ તો ઘણા પ્રોજેક્ટ સાઇન કર્યા છે, કેટલાક પર હજી વિચારણા ચાલુ છે પરંતુ જે મેં બે મોટી ફિલ્મ સાઇન કરી છે તેમાં રિતિક રોશન અને જુનિયર એનટીઆર સાથેની ફિલ્મ લ્લવૉર ૨’ છે. જ્યારે બીજી ફિલ્મ રણવીરસિંહ સાથેની ફિલ્મ લ્લડોન ૩’ છે.

આ એક અઘરો સવાલ છે જેનો જવાબ શું આપવો સમજાતું નથી, પરંતુ હું એટલું ચોક્કસ કહી શકીશ કે આ બંને ફિલ્મ મારા માટે લકી કોઇન સાબિત થવાની છે, એટલે કે આ બંને ફિલ્મો એક ઉછાળેલા સિક્કા જેવી છે, હું આશા રાખીશ કે આ સિક્કો ઉછળીને જમીન પર પડે ત્યારે સીધો જ ઊભો રહે. જેથી બંને તરફની જીત થાય. મારા માટે આ બંને ફિલ્મો એટલા માટે પણ મહત્ત્વની છે કે બોલિવૂડમાં એવું કહેવાય છે કે લગ્ન કર્યા બાદ એક્ટ્રેસીસની કરિયર લાઇફમાં બ્રેક વાગી જાય છે, પરંતુ આ બંને ફિલ્મ દ્વારા હું તે તમામને મેસેજ આપવા માંગીશ કે લગ્ન એ જીવન જીવવાનો જ એક ભાગ છે તેનાથી તમારી કરિયર અટકી જતી નથી. મને દૃઢ વિશ્ર્વાસ છે આ બંને ફિલ્મ મારાં લગ્ન બાદની સર્વોત્તમ ફિલ્મ સાબિત થવાની છે.

એક ઈન્ટરવ્યૂમાં જ્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે સ્ક્રીન પર તમારી અને સિદ્ધાર્થની જોડીને ખૂબ જ વખાણવામાં આવે છે. જ્યારે તમે બંને જણાંએ લગ્ન નહોતાં કર્યાં ત્યારે દર્શકો પણ તમે બંને પરણી જાઓ તેવું ખુશી સાથે કહેતાં હતા! આ પ્રશ્ર્ન કર્યા બાદ કિયારાએ જણાવ્યું હતું કે, સાચું કહું તો સિદ્ધાર્થ સાથે રહેવું કે સ્ક્રીન શૅર કરવી મને એકદમ મારા ઘર જેવું જ અનુભવાતું હતું. હું અત્યાર સુધી જેટલી વાર સિદ્ધાર્થ સાથે હોઉં છું ત્યારે મને એવું જ લાગે છે કે હું મારા ઘર પર જ છું. મને તેમનાથી અદ્દલ મારા ઘર જેવી જ હૂંફ મળે છે. જે મારા માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. હું જે પરિવારમાંથી આવી છું ત્યાં મને ખૂબ જ લાડ-પ્રેમથી ઉછેરવામાં આવી છે અને એવાં જ લાડ-પ્રેમ આજે મને સિદ્ધાર્થ સાથે અને તેના ઘરે મળી રહ્યાં છે જેની ખુશી મારા માટે એકદમ બમણી છે.