
રાંચી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના અધિકારીઓ જમીન કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસના સંબંધમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની રાંચીમાં તેમના નિવાસસ્થાને પૂછપરછ કરી રહ્યા છે, ત્યારે હેમંત સોરેનની પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચાએ ઈડી અધિકારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. નોંધાવવામાં આવેલ છે. આ ફરિયાદના આધારે પોલીસે એફઆઈઆર નોંધી છે. આ દરમિયાન ઝારખંડના ગૃહ સચિવ અવિનાશ કુમારને હટાવી દેવામાં આવ્યા છે, તેમની જગ્યાએ ઝારખંડના મુખ્ય સચિવ એલ ખાંગાયતેને ગૃહ સચિવની જવાબદારી સોંપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, જેએમએમ દ્વારા એસસી એસટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હાલ ઈડીની ટીમ જમીન કૌભાંડમાં હેમંત સોરેનની પૂછપરછ કરી રહી છે. મળતી માહિતી મુજબ, એસસીએસટી પોલીસ સ્ટેશનમાં ઝારખંડ મુક્તિ મોરચા દ્વારા આપવામાં આવેલી ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે સીએમ હેમંત સોરેન પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. આ ફરિયાદના આધારે પોલીસે એફઆઈઆર નોંધી છે.
અગાઉ, ઈડી અધિકારીઓએ ભારે સુરક્ષા કવચ વચ્ચે જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનની તેમના નિવાસસ્થાને પૂછપરછ શરૂ કરી હતી. હેમંત સોરેન, જેઓ શાસક ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) ના કાર્યકારી અયક્ષ પણ છે, તેમની અગાઉ ૨૦ જાન્યુઆરીએ સમાન કેસમાં પૂછપરછ કરવામાં આવી હતી. એક અધિકારીએ કહ્યું કે તે દિવસે પૂછપરછ પૂર્ણ થઈ શકી ન હતી. તે દિવસે સોરેનની સાત કલાકથી વધુ પૂછપરછ કરવામાં આવી હતી.
ઈડી અધિકારીઓએ જણાવ્યું હતું કે ઝારખંડમાં ’માફિયાઓ દ્વારા જમીનની માલિકીના ગેરકાયદેસર ફેરફારના વિશાળ રેકેટ’ની તપાસના ભાગરૂપે સોરેનની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઈડી મુખ્યમંત્રીની પૂછપરછ શરૂ કરે તે પહેલા જેએમએમ ગઠબંધનના ધારાસભ્યો સવારે અહીં તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રી અને કોંગ્રેસ નેતા બન્ના ગુપ્તાએ કહ્યું કે સોરેન તપાસમાં સહકાર આપી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે બંધારણીય સંસ્થાઓની ફરજ છે કે આવી તપાસ યોગ્ય રીતે કરે.
દરમિયાન, જેએમએમ સમર્થકોએ સોરેન વિરુદ્ધ ઈડીની કાર્યવાહી સામે નજીકના મોરહાબાદી મેદાન અને અન્ય કેટલાક સ્થળોએ વિરોધ કર્યો હતો. એક પ્રદર્શનકારીએ કહ્યું, “કેન્દ્રના નિર્દેશ પર, ઈડી૦ જાણી જોઈને અમારા મુખ્યમંત્રીને હેરાન કરી રહી છે. અમે સમગ્ર રાજ્યની આથક નાકાબંધી લાદીશું. કલમ ૧૪૪ હેઠળ રાજધાનીના મુખ્ય સ્થળો અને મુખ્ય પ્રધાનના નિવાસસ્થાનની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં સવારે ૯ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી પ્રતિબંધિત આદેશ લાગુ કરવામાં આવ્યો છે.