હવે શ્રદ્ધાળુઓએ કાઠમંડુ જવાની જરૂર નહીં પડે, ૩૮ ભારતીયોને લઇ ફ્લાઇટ કૈલાશ માનસરોવર પહોંચી

નવીદિલ્હી, ૩૮ ભારતીયો સાથે એક ચાર્ટર્ડ પ્લેન નેપાળગંજથી કૈલાશ માનસરોવર માટે ઉડાન ભરી હતી. આને પ્રથમ પર્વત ઉડતી યાત્રા તરીકે વર્ણવવામાં આવી હતી. કૈલાશ-માનસરોવર દર્શન ઉડાન નામની આ એરલાઇન તીર્થસ્થાન સ્થળ કૈલાશ પર્વત અને માનસરોવર તળાવનો આકર્ષક નજારો બતાવે છે. લાઈટના મુસાફરોએ ૨૭ હજાર ફૂટની ઊંચાઈથી કૈલાસ પર્વતનો નજારો જોયો હતો.

આ પ્રવાસ વિશે માહિતી આપતાં કંપનીના પ્રાદેશિક નિર્દેશક કેશવ ન્યુપાનેએ જણાવ્યું હતું કે, ’૩૮ ભારતીય પ્રવાસીઓ સાથે શ્રી એરલાઇન્સના આ ચાર્ટર્ડ એરક્રાટને પ્રવાસ પૂર્ણ કરવામાં લગભગ દોઢ કલાકનો સમય લાગ્યો હતો.આ પ્રથમ લાઇટમાં દિલ્હી, મુંબઈ, ગુજરાત અને ઉત્તર પ્રદેશ સહિત ભારતના વિવિધ રાજ્યોમાંથી ઘણા પ્રવાસીઓ આવ્યા હતા. કૈલાશ પર્વત અને માનસરોવર માટે આગમી ચાર્ટર્ડ લાઇટ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ઉડાન ભરશે.’ એ વાત તો જાણીતી જ છે કે કોવિડને કારણે ચીને ભારતીય તીર્થયાત્રીઓને કૈલાશ માનસરોવરની મુલાકાત પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ નેપાળની આ લાઇટ સેવાએ નવી આશાઓ જન્માવી છે. કોવિડ પહેલા, લગભગ ૧૨ હજાર શ્રદ્ધાળુઓ દર વર્ષે નેપાળ થઈને કૈલાશ માનસરોવરની મુલાકાત લેતા હતા.

નેપાળ થઈને કૈલાશ માનસરોવરની યાત્રા પર જતા તીર્થયાત્રીઓએ પહેલા કાઠમંડુ જવાનું હોય છે, પરંતુ જો તેઓ આ લાઈટ પસંદ કરે તો તેમને નેપાળની રાજધાની જવાની જરૂર નહીં પડે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌથી નેપાળગંજનું અંતર આશરે ૨૦૦ કિલોમીટર છે અને ત્યાં સડક માર્ગે પણ પહોંચી શકાય છે.