હવે હિમાચલ પ્રદેશમાં પણ લાશના ટુકડા કરવાનો મામલો સામે આવ્યો

શિમલા, મુંબઈ અને દિલ્હીમાં હત્યા બાદ હવે હિમાચલ પ્રદેશમાં પણ લાશના ટુકડા કરવાનો મામલો સામે આવ્યો છે. અહીં એક હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીની પ્રેમ કહાનીનો દુ:ખદ અંત આવ્યો છે.

૨૧ વર્ષીય મનોહરની હત્યા કર્યા બાદ લાશના ૭-૮ ટુકડા કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ બોરીમાં ભરી લાશને નાળામાં ફેંકી દેવામાં આવી હતી. હાલ પોલીસે આ કેસમાં યુવતી અને તેના ભાઈઓની ધરપકડ કરી છે. ઘટના બાદ ઘટનાસ્થળે તણાવ સર્જાયો હતો. જો કે, કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયો નથી.

આ કિહાર, સલોની, ચંબાના બાંદલ ગામનો છે. ૯મી જૂને યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવક મનોહર ૬ જૂનથી ગુમ હતો.આ મામલો પ્રેમ પ્રકરણ સાથે જોડાયેલો છે. યુવક અને યુવતીની ખૂબ સારી ઓળખાણ હતી. પરંતુ યુવતીના પરિવારજનોને તે પસંદ ન હતું.

આરોપ છે કે યુવકની હત્યા કર્યા બાદ યુવતીના ભાઈઓએ તેના શરીરના આઠ ટુકડા કરી નાખ્યા અને પછી આ ટુકડાને બોરીમાં મૂકી દીધા. બાદમાં આરોપીઓએ બોરીને નાળામાં પથ્થરો નીચે દાટી દીધા હતા.૯ જૂનના રોજ જ્યારે કેટલાક લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને દુર્ગંધ આવી અને તેમણે પોલીસને જાણ કરી. તપાસમાં બોરીમાંથી મનોહરના શરીરના ભાગો મળી આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે મનોહરના શરીરને કુહાડીથી કાપી નાખવામાં આવ્યું હતું. તેના શરીરના કેટલાક ભાગો પણ ગાયબ છે.

સમગ્ર મામલે ચંબા એસપી અભિષેક યાદવે જણાવ્યું કે યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે. ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ભંડાલ હત્યા કેસના આરોપીઓને તેમના સમુદાય દ્વારા બહિષ્કૃત કરવામાં આવ્યા છે. ઘટના બાદ હિન્દુ જાગરણ મંચના સભ્યો પણ પીડિત પરિવારને મળ્યા છે. મનોહરની માતાએ પુત્રની હત્યાના આરોપીને ફાંસીની સજાની માંગ કરી છે. મનોહરને એક નાનો ભાઈ પણ છે.

તાજેતરમાં જ મુંબઈમાં એક વ્યક્તિએ પોતાના પાર્ટનરની હત્યા કર્યા બાદ તેના ઘણા ટુકડા કરી નાખ્યા હતા. દિલ્હીમાં શ્રદ્ધાવાલ હત્યા કેસમાં પણ કંઈક આવું જ બન્યું હતું.