હાલોલના ખેરપ ગામે કેરોસીન છાંટી સળગેલ 30 વર્ષિય યુવાનનુ સારવાર દરમિયાન મોત

હાલોલ, હાલોલ તાલુકાના ખેરપ નાયક ફળિયામાં રહેતા 30 વર્ષિય યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના શરીરે કેરોસીન છાંટી આગ લગાડી શરીરે ગંભીર રીતે દાઝી જતાં સારવાર દરમિયાન મોત નીપજયું હતુ. આ બાબતે પાવગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હાલોલ તાલુકાના ખેરપ નાયક ફળિયામાં રહેતા શંકરભાઈ રવજીભાઈ નાયક(ઉ.વ.30)એ તા.22 માર્ચના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના ધરમાં કેરોસીન શરીરે છાંટી આગ લગાડી દેતા શરીરે ગંભીર રીતે દાઝી જતાં સારવાર અર્થે ખસેડ્યા બાદ સારવાર દરમિયાન મોત નીપજયું હતુ. આ બાબતે પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.