હાલોલના ધનસર વાવમાં માતાના વિયોગમાં યુવકે કુવામાં પડી આપધાત કર્યો

ધનસર વાવના પરિણીત ગોપાલભાઈ સોલંકીની માતા ચંપાબેનનુ માંદગી બાદ 10 દિવસ પહેલા મોત નીપજયું હતુ. માતા ચંપાબેનની ઉત્તર ક્રિયાઓ પુરી થઈ નથી ત્યાં માતાના વિયોગમાં ગોપાલે આપધાત કરી લીધો હતો. પત્નિ અને બાળકી સાથે રાત્રે સુઈ ગયેલો ગોપાલ સવારે ધરમાં જોવા ન મળતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પરંતુ ગોપાલનો કયાંય પત્તો લાગ્યો ન હતો. બપોરે તેનો મૃતદેહ એક કુવામાં પડેલો જોવા મળતા ગામલોકો ભેગા થઈ ગોપાલભાઈના મૃતદેહને કુવામાંથી બહાર કાઢી પોલીસને જાણ કરતા પોલીસ ધટના સ્થળે આવી પહોંચી હતી. પરંતુ મૃતક ગોપાલની પત્નિ પતિના આપધાત અંગે કોઈ જ કાર્યવાહી કરવા ન માંગતા પોલીસ પરત ફરી ગઈ હતી. મૃતકના મૃતદેહનુ પી.એમ.કરાવ્યા વગર જ તેના અંતિમ સંસ્કાર કરવાની તૈયારીઓ કરાઈ હતી.