હાલોલ કંજરી રોડ શ્રીજી ગ્રીન્સ સોસાયટીના મકાનમાં આગ લાગતા સરસામાન બળીને ખાખ

હાલોલ, હાલોલ કંજરી રોડ શ્રીજી ગ્રીન્સ સોસાયટીના મકાનમાં અચાનક આગ લાગતા ધરમાં રાખેલ સરસામાન અને ધરવખરી બળીને ખાખ થઈ જતાં અંદાજિત 8 લાખ રૂપિયાનુ નુકસાન થયાની ફરિયાદ હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ કંજરી રોડ ઉપર આવેલ શ્રીજી ગ્રીન્સ સોસાયટીમાં રહેતા દલજીભાઈ વિરાભાઈ ચમારના મકાનમાં અચાનક આગ લાગી હતી. ધરમાં લાગેલ આગના કારણે સાગના સોફા નંગ-8 હોમ થિએટર, એસી સહિતનો સરસામાન તેમજ મકાન બળીને ખાખ થઈ જતાં અંદાજિત 8 લાખ રૂપિયાનુ નુકસાન થયાની ફરિયાદ હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.