
ઈન્દોર, ઉત્તર પ્રદેશના જ્ઞાનવાપી બાદ હવે મધ્યપ્રદેશના ધારમાં આવેલી ભોજશાળાને લઈને કોર્ટનો નિર્ણય આવ્યો છે. હાઈકોર્ટની ઈન્દોર બેંચે ભોજશાળાના એએસઆઇ સર્વેને આદેશ આપ્યો છે. આ માટે કોર્ટે એએસઆઇને ૫ સભ્યોની ટીમ બનાવવાની સૂચના આપી છે. તમને જણાવી દઈએ કે આ નિર્ણય સામાજિક સંગઠન ’હિન્દુ ફ્રન્ટ ફોર જસ્ટિસ’ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર લેવામાં આવ્યો છે. આ ભોજશાળા ઈન્દોરની બાજુમાં ધારમાં છે.
હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે જ્ઞાનવાપીની તર્જ પર પરિસરનો સર્વે કરવામાં આવે. કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું છે કે ભોજશાળાનો સર્વે જીપીઆર જીપીએસ પદ્ધતિથી કરવામાં આવશે. આ ટેક્નોલોજી (ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર) એટલે જમીનની અંદરના વિવિધ સ્તરોની તપાસ કરવી. આમાં રડારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કારણોસર, આ તકનીકનો ઉપયોગ કરીને જમીનની અંદરના પદાર્થોના વિવિધ સ્તરો, રેખાઓ અને આકાર માપવામાં આવે છે. સમગ્ર સર્વેની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પણ થશે.