સંજેલી, સંજેલી તાલુકામાં જૂના બસ સ્ટેન્ડ ખાતે આવેલ સમાજ સુધારક ગુરૂ ગોવિંદ મહારાજની મૂર્તિ આવેલ છે અને આ વિસ્તારને ગુરૂ ગોવિંદ ચોકના નામથી જાણીતો બનેલ છે. આદિવાસી પરિવારના સદસ્યો ઉપસ્થિત રહીને ભીલ સમાજના સુધારક અને અગ્રણી કાંતિવીર અને ધાર્મિક ગુરૂ ગોવિંદ મહારાજની મૂર્તિને દિવડા પ્રગટાવીને, ફૂલહાર પહેરાવીને સેવા પૂજા અર્ચના કરવામાં આવી હતી. ગુરૂ એટલે ટૂંકમાં સાચો રસ્તો બતાવે… અંધકાર માંથી અજવાળા તરફ જે આપણાને જીવન જીવવાની દિશા બતાવે તે આપના ગુરૂ.. આમ, સંજેલી તાલુકાના આદિવાસી પરિવાર દ્વારા આદિવાસી સમાજના ભગવાન ગણાતા ગુરૂ ગોવિંદ મહારાજની પૂજા અર્ચના કરીને ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરી હતી. સમાજને સાચો રસ્તો બતાવનાર અને એમને માર્ગે ચાલનાર હાલ આદિવાસી સમાજ પ્રગતિમાં હરણફાળ ભરી રહેલા છે. એમ કહીએ તો કઈક ખોટું નથી.. આમ, ગુરૂ પૂર્ણિમાના દિવસે આદિવાસી સમાજના સદસ્યો ઉપસ્થિત રહીને ગુરૂની સેવા- પૂજા કરી હતી અને એકબીજાને ગુરૂ પૂર્ણિમાની હાર્દિક શુભકામના પાઠવી હતી. જય ગુરૂ માલિકના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા.. આમ, સમસ્ત સંજેલી તાલુકાના આદિવાસી પરિવાર દ્વારા હર્ષોલ્લાસ સાથે ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી.