ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડેમી દ્વારા જેઠોલી ગામે લોક ડાયરાનું આયોજન કરાયું

ગુજરાત સરકાર દ્વારા ગામ લોકોને મનોરંજન મળી રહે તેમજ સરકારની વિવિધ માહિતી મળે તે હેતુથી જેઠોલી ગામે લોકગીતો તેમજ ભજન માટે લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ હતું. આ ડાયરા માં રમેશભાઈ બારોટ અને કિંજલબેન લાલજીભાઈ બારોટ દ્વારા ગામલોકોને સુંદર મજાના ભજનો ગાઈને ખુશ કરી લીધા હતા અને સરકાર દ્વારા આપવામાં આવતી યોજનાઓની પણ ભજનોમાં જ સમાવેશ કરીને માહિતી આપેલ હતી. આ ડાયરા જેઠોલી સરપંચ દિપકભાઈ પંચાલ, ગામના આગેવાનો અને બહોળી સંખ્યામાં ગામલોકો એકત્રિત થયા હતા.