ગુજરાત પરંપરાગત ઊર્જા ઉત્પાદનમાં અન્ય રાજ્યો કરતાં વધુ પ્રો-એક્ટીવ રીતે કાર્ય કરી રહ્યું છે તે સરાહનીય છે,પ્રલહાદ જોષી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ભારતભરમાં શરૂ કરવામાં આવેલી ‘પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના’ તેમજ ’પ્રધાનમંત્રી ક્સિાન ઊર્જા સુરક્ષા અને ઉત્થાન મહાભિયાન પીએમ કુસુમ યોજના યોજનાના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે. ગુજરાત પરંપરાગત ઊર્જા ઉત્પાદનમાં અન્ય રાજ્યો કરતાં વધુ પ્રો-એક્ટીવ રીતે કાર્ય કરી રહ્યું છે તે સરાહનીય છે તેમ, કેન્દ્રીય નવીન અને નવીનીકરણ ઊર્જા મંત્રી પ્રલહાદ જોષીએ જણાવ્યું હતું. કેન્દ્ર સરકારની પીએમ સૂર્ય ઘર’ અને પીએમ કુસુમ યોજના’ અંતર્ગત ગુજરાતે કરેલી કામગીરીની આજે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે કેન્દ્રીય મંત્રી પ્રલહાદ જોષીની અયક્ષસ્થાને સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતના ઊર્જા વિભાગ દ્વારા આ યોજના અંતર્ગત કરેલી કામગીરી અંગે કેન્દ્રીય મંત્રીને માહિતગાર કરતાં કહ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની પ્રજાને ૨૪ કલાક વીજળી મળી રહે તે માટે ‘જ્યોતિ ગ્રામ યોજના’નો શુભારંભ કરાવ્યો હતો. ગુજરાતમાં વીજળીના યોગ્ય વ્યવસ્થાપનના પરિણામે રાજ્યની યુજીવીસીએલ,પીજીવીસીએલ ડીજીવીસીએલ અને એમજીવીસીએલ એમ ચાર વીજ કંપનીઓ ભારતમાં નંબર-૧ની સાથે સાથે નફો પણ કરી રહી છે. પીએમ સૂર્ય ઘર’ યોજનાના અમીલકરણમાં ગુજરાત બાદ મહારાષ્ટ્ર, કેરળ, ઉત્તરપ્રદેશ અને મયપ્રદેશનો ક્રમ આવે છે. આ બન્ને યોજનાના અમલમાં ગુજરાત ટૂંક સમયમાં પોતાનો લક્ષ્યાંક પૂર્ણ કરીને નવો લક્ષ્યાંક સ્થાપિત કરશે તેમ, મંત્રી શ્રી દેસાઈએ ઉમેર્યું હતું.

ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ જીયુવીએનએલના મેનેજીંગ ડીરેક્ટર જયપ્રકાશ શિવહરેએ પીએમ સૂર્ય ઘર’ યોજના અંગે ગુજરાતે કરેલી કામગીરીનું કેન્દ્રીય મંત્રીશ્રી સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરતાં કહ્યું હતું કે, આ યોજના અંતર્ગત સમગ્ર દેશમાં કુલ ૧ કરોડ ઘર પર સોલર રૂફટોફ લગાવવાના લક્ષ્યાંક સામે સૌથી વધુ ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧૧ લાખ ઘર પર સોલર રૂફટોફ લગાવવાની નોંધણી કરવામાં આવી છે જેમાંથી ૧.૬૫ લાખથી વધુ ઘર પર સોલાર રૂફટોફ લગાવવામાં આવ્યા છે જ્યારે બાકીની કામગીરી પ્રગતિમાં છે.

આ યોજના અંતર્ગત રહેણાંક વિસ્તારમાં ઘરની છત ઉપર એક થી બે કિલોવોટ સુધી પ્રતિ કિલોવોટ પર રૂ. ૩૦,૦૦૦ની સબસીડી તેમજ બે થી ત્રણ કિલોવોટ પર પ્રતિ કિલોવોટ રૂ. ૧૮,૦૦૦ એમ કુલ ત્રણ કિલોવોટ સુધી રૂ. ૭૮,૦૦૦ની સબસિડી ડ્ઢમ્ દ્વારા લાભાર્થીઓના ખાતામાં સીધી જમા કરવામાં આવે છે. ગુજરાતમાં વર્ષ ૨૦૨૩-૨૪માં ગ્રાહકોએ પ્રતિ યુનિટ રૂ. ૨.૨૫ના ભાવે વધારાની વીજળી સરકારને વેચીને અંદાજે રૂ. ૧,૮૯૧ કરોડથી વધુ આવક મેળવી છે.