ગુજરાતમાં રજાના દિવસે પણ દસ્તાવેજની નોંધણી થઇ શકશે

ગાંધીનગર, નાણાંકીય વર્ષના અંતમાં સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી વધારે રહેતી હોઈ સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં શુક્રવારે જાહેર રજાનાં દિવસે પણ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી અંગેની કામગીરી ચાલુ રાખવાનું નક્કી કરવામાં આવેલ છે.

હાલ રાજ્યમાં નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ વર્ષના અંતમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી વધુ રહેતી હોઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં જાહેર રજાનાં દિવસે રાજ્યની તમામ સબ-રજીસ્ટ્રાર કચેરીઓ ચાલુ રાખવોનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજ્યની સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં નાણાકીય વર્ષના અંતમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી વધારે રહેતી હોય જાહેર હિતને યાનમાં રાખી તા.૨૯/૦૩/૨૦૨૪ને શુક્રવારને જાહેર રજાના દિવસે રાજ્યની તમામ ૨૯૪ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી અંગેની કામગીરી ચાલુ રાખવા નક્કી કરવામાં આવેલ છે. જે અન્વયે સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં તા.૨૯/૦૩/૨૦૨૪ ના રોજ નિયમિત દિવસના જેમ જ ઓનલાઈન એપોઇન્ટમેન્ટ મેળવીને દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે.