અમાવસ્યા નિમિત્તે આરાધ્યદેવ શ્રી વિશ્વકર્મા પ્રભુની આરતી પુજન કરવામાં આવ્યું.

રાષ્ટ્રીય સંગઠન શ્રી વિશ્વકર્મા વંશીસેના સંગઠન ગુજરાત પ્રદેશ માં જન જાગૃતિ અભિયાન માં જોડાયેલ વિભાગીય ક્ષેત્ર પ્રભારી શ્રી હિતેશભાઈ પંચાલ તેમજ પંચમહાલ જિલ્લા નાં અધ્યક્ષ શ્રી સતીષભાઈ, શ્રી વિશ્વકર્મા વંશીસેના નાં ગોધરા તાલુકાના અધ્યક્ષ તેમજ શ્રી વિશ્વકર્મા પંચાલ સમાજ ના પ્રમુખ શ્રી દિગીશભાઈ તથા શ્રી વિશ્વકર્મા વંશીસેના નાં ગોધરા શહેર અધ્યક્ષ તેમજ શ્રી વિશ્વકર્મા પંચાલ સમાજ ના મંત્રી શ્રી ઉમંગભાઈ, તેમજ શ્રી વિશ્વકર્મા વંશીસેના ગોધરા શહેર મંત્રી શ્રી મફતભાઈ તથા શ્રી વિશ્વકર્મા વંશીસેના સંગઠન નાં મહિલા મોરચા નાં સભ્યો તથા શ્રી વિશ્વકર્મા પંચાલ સમાજ ગોધરા નાં સભ્ય શ્રી ની હાજરીમાં આજ રોજ તા. ૧૧/૧/૨૦૨૪ ને અમાવસ્યા નિમિત્તે આરાધ્યદેવ શ્રી વિશ્વકર્મા પ્રભુની આરતી પુજન તથા અલ્પાહાર કાયૅકમ આયોજીત કરવામાં આવ્યો.